Western Times News

Gujarati News

ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુમ થયેલ બાળકો તથા મહિલા , પુરૂષો , વૃધ્ધોને તેમના પરિવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ

ગોધરા, નાયબ પોલીસ મહાનીરીક્ષક ઇન્સ્પેકટર અધિક્ષક એમ.એસ.ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ – ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ હાલોલ વિભાગ તથા સર્કલ પોલીસ એમ.એસ.પલાસ હાલોલ સર્કલ નાઓની સુચના આધારે તા .૦૨ / ૦૪ / ૨૦૨૨ થી ૧૬ / ૦૪/૨૦૨૨ સુધી ચૈત્રી નવરાત્રી ચાલુ થયેલ હોય અને પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો . અને માંચી તંબુ ખાતે મીસિંગ સેલ તથા પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ હતો .

અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે ભીડભાડ થતી હોય બાળકો , મહિલા , વૃધ્ધો તેમના પરિવારથી વિખૂટા પડી જવાના બનાવો બનતા હોય છે . જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મિસિંગ સેલ તેમજ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત પેટ્રોલીંગ રાખવામાં આવેલ હતું . અને આર.જે.જાડેજા પો.સ.ઈ. પાવાગઢ તથા મિસીંગ સેલના પોલીસ માણસો દ્વારા બાળકોઃ ૫૩ , તથા પુરૂષ / મહિલા / વૃધ્ધોઃ ૨૫ મળી કુલઃ ૭૮ ગુમ થયેલાઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવેલ છે

અને ચૈત્રી નવરાત્રી દરમિયાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવેલ છે અને ગુમ થયેલા બાળકો તથા મહિલા અને વૃધ્ધોને તેમના પરિવાર સાથે મિલન કરાવી પાવાગઢ પોલીસ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન સરાહનીય કામગીરી કરેલ છે .

તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.