Western Times News

Gujarati News

દિલ્હીમાં મુખ્યમંત્રીના આવાસથી એક કિલોમીટરના અંતરે નામી બિલ્ડરની હત્યા

નવીદિલ્હી, દિલ્હીના સૌથી સુરક્ષિત મનાતા વિસ્તારની એક આલીશાન કોઠીમાં પ્રતિષ્ઠિત બિલ્ડરની હત્યા થઈ છે. જે કોઠીમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યાંથી નોર્થ દિલ્હીના ડીસીપીની ઓફિસ અમુક અંતરે છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રીનો આવાસ એક કિલોમીટરના અંતરે છે, જ્યારે એલજી હાઉસ લગભગ દોઢ કિલોમીટર દૂર છે.

બિલ્ડરની ઓળખ રામ કિશોર અગ્રવાલ (૭૭) તરીકે થઈ છે. બદમાશોએ કોઠીની અંદર ઘૂસીને ચાકૂથી રહેંસી અને ગળુ કાપીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. રામ કિશોર અગ્રવાલ પ્રોપર્ટીનુ કામ કરતા હતા. પરિવારમાં તેમને પુત્ર, પુત્રવધૂ, પૌત્રી અને એક દિકરી છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે બધા સૂઈ રહ્યા હતા. નીચેના ફ્લોર પર તેઓ એકલા રહેતા હતા અને દીકરો અને વહુ પહેલા માળે હતા.

જાેકે આજે સવારે ૬ઃ૫૨ વાગે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં એક ફોન આપ્યો. ફોન કરનારે જણાવ્યુ કે આરકેએ માર્ગ, સિવિલ લાઈન્સ પર તેમના પિતાનુ ગળુ રહેંસી નંખાયુ છે, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તેમને મદદની જરૂર છે જે બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી અને રામકિશોર અગ્રવાલને ટ્રોમા સેન્ટરમાં મૃત જાહેર કરાયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.