પાનોલી નોટિફાઈડ હદ વિસ્તારમાં પ્રદુષિત પાણીનો ટેન્કર દ્વારા નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું

(વિરલ રાણા) ભરૂચ,ઓદ્યોગિક વસાહતો માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીના નિકાલની ઘટનાઓ વારંવાર બનતી રહી છે.આ રીતે નિકાલ કરવાથી પર્યાવરણ,માનવ સ્વાસ્થ્ય અને માનવ જીવ ગુમાવવા ની અનેક ઘટનાઓ તાજેતર માં બની છે.તંત્ર દ્વારા આકરા પગલા લેવાયું હોવાનું કેહવામાં આવે છે.તેમ છતા ગુનાહિત માનસિકતા ધરાવનારા તત્વો દ્વારા આવા કોભાંડો અટકવાનું નામ લેતા નથી. આવા કૃત્યો કરવા નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
અને તેઓ દ્વારા “હમ નહી સુધરેંગે” ની નીતિ અપનાવી જાહેર માં પ્રદુષિત પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે. વધુ ને વધુ નફો મેળવવાની વૃત્તિ ધરાવનારા આવા તત્વો પોતાના એકમ ના પ્રદુષિત પાણી નો વેજ્ઞાનિક ઢબે ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાની જગ્યાએ આ રીતે ગેરકાયદેસર નિકાલ કરી ટ્રીટમેન્ટ નો ખર્ચ બચાવવા આવા કૃત્યો કરવામાં આવે છે અને તેની મોટી કિમત પર્યાવરણ અને માનવ જીવ ભોગવી રહ્યો છે.ગઈ કાલે રાત્રે પાનોલી જીઆઈડીસી માંથી ટેન્કર ભરી પાનોલી નોટિફાઈડ હદ વિસ્તાર ની નજીક જ ખુલ્લી વરસાદી ગટરમાં આ ટેન્કર ખાલી થઈ રહ્યું હતું.
ત્યારે પાનોલી નોટિફાઈડ વિસ્તાર ની સેક્યુરી ટીમ ને જોવામાં આવ્યું હતું કે એક ટેન્કર માંથી વાલ્વ ખોલી જાહેરમાં કેમિકલ ઠલવાઈ રહ્યા નું ધ્યાને આવ્યું હતું.ટેન્કરનો ડ્રાઈવર જગ્યાએથી ફરાર થઈ ગયો હતો.પાનોલી સિકયુરિટી ટીમ દ્વારા આ બાબત ની માહિતી જીપીસીબી અને સ્થાનીય પોલીસ વિભાગ ને કરવામાં આવી છે અને તેમના દ્વારા સંયુક્ત રીતે હાલ તપાસની કાર્યવાહી ચાલી રહી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “આ ટેન્કર ખાલી થયા બાબતની માહિતી મળતા અમોએ પણ આ બાબતની મૌખિક ફરિયાદ અને કાર્યવાહી કરવા જીપીસીબી અંકલેશ્વરને જણાવ્યું છે.
તેમજ અમોને મળેલ માહિતીના આધારે શંકાસ્પદ કંપનીઓના નામ સહીતની માહિતી આપી છે.અમોને આશા છે કે કે આ માહીતીની સાચી તપાસ કરવામાં આવશે અને માહિતી કાર્યવાહીમાં મદદરૂપ થશે અને આવા ગુનાહિત કૃત્યો કરનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.