Western Times News

Gujarati News

બનાસકાંઠા: પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર જોડાણો દૂર કરી કાર્યવાહી કરાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર)બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નીલ ખરેની અધ્યક્ષતામાં પીવાના પાણીની લાઇનોમાંથી
ગેરકાયદેસર જોડાણો દૂર કરી કનેકશનો કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

પીવાના પાણીની લાઈનોમાંથી સીધા નેટવર્કથી પાણી લેતાં ગામોમાં તાલુકા પંચાયત કચેરી, થરાદ અને તાલુકા પંચાયત કચેરી, દાંતીવાડાની તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પીવાના પાણીની લાઈનમાં કરેલ જોડાણો દૂર કરવામાં આવ્યા હતા.

જેમાં દાંતીવાડા તાલુકાના

(૧) ઓઢવા,

(ર) પાંસવાળ,

(૩) રામપુરા (પાંસવાળ) તથા

થરાદ તાલુકાના

(૧) મેઢાળા,

(ર) ગડસીસર,

(૩) પીરગઢ ગામમાંથી પીવાના પાણીના ગેરકાયદેસર કનેકશનો દૂર કરીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ બનાસકાંઠા જિલ્લા
પંચાયત દ્વારા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.