Western Times News

Gujarati News

ખેડબ્રહ્માથી પીરાણા બસ શરૂ થતો લોકોમાં આનંદની લાગણી

 ખેડબ્રહ્મા તાલુકા તથા આસપાસના એરિયામાં રહેતા કચ્છી પટેલ સમાજ દ્વારા રજૂઆત કરાતાં ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગરે ખેડબ્રહ્મા થી પીરાણા એસટી બસ શરૂ કરતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
આ બસ શરૂ થતાં કચ્છી સમાજ ના લોકો માટે તેમના આસ્થાના કેન્દ્ર જેવા પીરાણા જવાનું ખૂબ જ અનુકૂળ રહેશે. આ બસ ખેડબ્રહ્મા થી સવારે 7:00 કલાકે ઉપડી લક્ષ્મીપુરા, દામાવાસ, મેઘ, વડાલી, ઇડર થઈ બપોરે 12:00 કલાકે પીરાણા પહોંચશે.
આ બસ શરૂ થતાં પાટીદાર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઇ પટેલ, દિનેશભાઈ પટેલ, નટુભાઈ પટેલ, કે ડી પટેલ વિગેરે ખેડબ્રહ્મા આવી એસટી ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.