Western Times News

Gujarati News

આત્મહત્યાના બે બનાવોમાં બાળકી સહીત ત્રણના મોત

ભાવનગર ,ભાવનગર શહેર અને જિલ્લામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યાનો એક બનાવ ભાવનગર શહેરમાં બન્યો છે, જયારે બીજાે બનાવ મહુવા તાલુકામાં બન્યો છે.
ભાવનગર શહેરમાં રહેતી સગીર વયની દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

તમન્ના અંજાર નામની સગીરા ધોરણ-૯માં અભ્યાસ કરી રહી હતી, બોરતળાવ આંબેડકર નગર પાસેના વિસ્તારમાં રહેતી હતી. આ સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સગીરાએ પોતાના હાથમાં બ્લેડ વડે ચેકા પાડી માય લાઈફ માય રુલ્સ હાથમાં લખ્યું હતું.

હાલ બનાવવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જાે કે ધોરણ-૯ની વિદ્યાર્થીનીએ કરેલ આ આત્મહત્યા અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. સમગ્ર બનાવને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છેઆત્મહત્યાનો બીજાે બાવન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર નવાગામ ખાતે બન્યો છે.

અહીં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શૈલેષભાઈ બાંભણિયા નામના પિતાએ પોતાની બે વર્ષની દીકરી નિશાને ઝાડ સાથે લટકાવી, ગળેફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો છે.

આ ઘટનામાં મૃતક શૈલેષભાઈ નામના પતિ વિરુદ્ધ તેમના પત્નીએ તેમની દીકરીની હત્યા કરી અંગેનો ૩૦૨ મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હાલ તજવીજ હાથ ધરાઈ છે.

પિતા પુત્રીના આપઘાત ને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે તપાસ બાદ બહાર આવશે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.