Western Times News

Gujarati News

અનુરાગ સિંહ ઠાકુરે સેન્ટ ટ્રોપેઝ ખાતે રણજીત સિંહ યુગના ફ્રેન્ચ આર્મી જનરલના વંશજોને હિમાચલી ટોપી અને શાલ અર્પણ કર્યા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં એલલાર્ડ સ્ક્વેરની મુલાકાત દરમિયાન જનરલ જીન-ફ્રાંકોઈસ એલાર્ડ અને ચંબાની તેમની પત્ની પ્રિન્સેસ બન્નુ પાન દેઈના વંશજોને હિમાચલી થલ, ટોપી અને શાલ અર્પણ કરી હતી. રાજકુમારીનો જન્મ હિમાચલ પ્રદેશના ચમ્બામાં થયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સેન્ટ ટ્રોપેઝનો ભારત સાથેનો સંબંધ ચાર પેઢી પછી પણ તૂટ્યો નથી. તેમણે કહ્યું કે સેન્ટ ટ્રોપેઝમાં રાજકુમારીનો પરિવાર ખૂબ જ સન્માનિત છે અને તેમણે તેમના ભારતીય મૂળને સાચવી રાખ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ ફ્રાન્સમાં તાજેતરમાં પૂરા થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

અગાઉ, કેન્દ્રીય મંત્રીએ સેન્ટ ટ્રોપેઝ ખાતે મહારાજા રણજીત સિંહ, તેમના સેનાના જનરલ અને જનરલની પત્નીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.