Western Times News

Gujarati News

પુત્રએ પિતાની માર મારી હત્યા કરી, શંકા ન જાય એટલે અંતિમ સંસ્કાર કરી નાખ્યા

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક પુત્રએ પોતાના પિતાની ઘણી બેરહમીથી પિટાઈ કરી હતી. પિતાને લોખંડના રોડથી એટલી વખત માર માર્યો કે પિતાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો. તેના પછી આરોપી પુત્રએ ચુપ-ચાપ કોઈને જણાવ્યા વગર તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા.

પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. મળેલી જાણકારી પ્રમાણે લખનૌના દુબગ્ગા થાણા ક્ષેત્રના દૌલત ખેડામાં રામખેલાવન નામના વ્યક્તિ રહેતો હતો. તેમના કુલ પાંચ બાળકો હતો.

હવે પૂછપરછમાં પુત્રએ કહ્યું કે ચાર વર્ષ પહેલા તેમના પિતાએ એક વીઘા જમીન વેચી હતી. પછીથી સતત થઈ રહેલી લડાઈના કારણે પોતાના પરિવારની સાથે ઘર છોડીને અલગ રહેવા પહોંચી ગયો હતો. પરંતુ આ દૂરી પણ બાળકોના મનમાં પિતાની નફરતને ઓછી કરી શકી ન હતી.

આ કારણે આરોપી પુત્ર કૌશલે એક દિવસ પોતાની પિતા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે કૌશલે તેના પિતા પર લોખંડના રોડથી હુમલો કરી પિતાને મરા મારી હત્યા કરી દીધી હતી. જ્યારે પિતાએ દમ તોડ્યો તો કૌશલે તેના શવને ગોમતી નદીના કિનારે લઈ ગયો અને ત્યાં તેનો અંતિમ સંસ્કાર કરી દીધો.

કેટલાંક દિવસો સુધી આરોપી પુત્ર ગામના સ્થાનિક લોકોને કહેતો રહ્યો કે પિતા બીમાર છે અને તેના કારણે તેમનું મોત થઈ ગયું છે. પરંતુ જ્યારે ગામના લોકોને શંકા થઈ તો તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. જેના પછી શંકાના આધારે પોલીસે કૌશલની ધરપકડ કરી અને કડકાઈથી તેની પૂછપરછ કરતા તેણે આખી ઘટના અંગે પોલીસને જણાવી દીધું હતું કે તેણે પિતાની કેવી રીતે હત્યા કરી છે.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.