Western Times News

Gujarati News

મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે

આ રોગમાં મોટા ભાગે રોગનાં સમયે મૂત્રપ્રવૃત્તિ અધિક થાય છે. રોગીએ રાત્રિમાં જ ૩ થી ૪ વખત પેશાબ માટે ઊઠવું પડે છે, તથા પેશાબ માટે જોર લગાવવા છતાં ઘણીવાર પેશાબ આવતો નથી, અથવા ટીપે-ટીપે આવે છે, અને પૌરુષગ્રંથિ આકારમાં પણ વધેલી દેખાય છે.

મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેથી આજનાં અંકમાં મૂત્રમાર્ગની સમસ્યાઓ માટે કેટલાંક સરળ, ઘરગથ્થુ અને આયુર્વેદીક ઉપચારો સૂચવું છું. દર્દ અને દવા એ આજના યુગની દેન છે.એક કાળ એવો હતો કે જ્યારે રોગો ગણ્યા ગાંઠ્યા હતા અને ઔષધોની જરૂરીયાત ઉપર ઓછો ભાર અપાતો.

કુદરતના આશરે જ સ્વાસ્થ્યની સંભાળ લેવાતી હતી.આજે પરિસ્થિતિ બદલાઇ છે. રોજ્બરોજ રોગોના જુદા જુદા રૂપો દેખાય છે. તેને ડમવાનિત્ય નવા ઔષધો શોધાતા જાય છે. જેમ જેમ રોગના કિટાણુઓને મારવાના સફળ ઔષધો શોધાય છે તેમ તેમ કિટાણુઓ પણ સહિષ્ણુતા વાળા બનતા જાય છે.

તેઓ ઔષધની પ્રતિકારકશક્તિને નાકામિયાબ બનાવે છે જેથી વધુ નવા,વધુ તેજ ઔષધો હારમાળા સર્જાય છે.રોગ અને તેની દવાનું ઘર્ષણ ચાલુ જ છે.પ્રચાર અને પ્રસારના પરિણામે સમજ વગર લેવાતા ઔષધોથી એક રોગ શમેતો બીજો પેદા થાય.

advt shriram vaid Sriram
ડો. શ્રીરામ વૈદ્ય   Mob: 9825009241  Email: [email protected]

આયુર્વેદ દવાને ગૌણ માને છે,મૂળ પાયાના કારણોને ડામવા પર ભાર મૂકે છે.પ્રતિકારકશક્તિ વધે એ જ રોગના પ્રતિકાર માટે આવશ્યક લેખે છે. પેશાબમાં પરુના કણો Pus cells જતા હોય તેને પ્રમેહ-Pyelitis કહેવાય છે. વૃક્કાશયની જીવનીય શક્તિનો હ્રાસ થવો એ જ મુખ્ય કારણ છે.

કારણો: યુરીનરી ઇન્ફેક્શન : ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિઓને મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ અનેક ગણી વધારે છે.

બેકાબુ ડાયાબિટીસના કારણે ગુપ્તાંગમાં ફંગલ ઇન્ફેક્શન થઇ જાય છે. તેના કારણે વ્યક્તિને પેશાબમાં બળતરા, દુખાવો તથા ખંજવાળ થાય છે.

ડાયાબિટીક પેશન્ટસ ખાસ કરીને મહિલાઓને યુરીનરી ટ્રેક્ટ (મૂત્રમાર્ગે) માં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. મેનોપોઝ થયા પછી આ ઇન્ફેક્શન વધારે થાય છે, લાંબુ ચાલે છે અને ઘણા કેસમાં વારંવાર થાય છે. ક્ષય (ટી.બી.) – ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિને ફેફસાંનું ટી.બી. થવાની શક્યતાઓ બે-ત્રણ ગણી વધારે હોય છે. જીરણ તાવ, ભૂખના લાગવી, સતત ખાંસી આવવી, નબળાઇ લાગવી, વજન ઊતરવું એ તેનાં લક્ષણો છે.

વૂક્કાશય કિડનીમાં પથરીના કારને, અભિઘાતના કારણે, પૌરૂષગ્રંથીના પ્રોસ્ટેત વધવાના કારણે, મૂત્રનળીના રોગના કારણે, ગર્ભાવસ્થામાં વૃક્કાશય ઉપર ભાર પડવાથી, આંતરડાના જીવાણુઓના કારણે, મૂત્રનળીમાં વારંવાર કેથેટર નાંખવાથી ક્યારેક બહારના જીવાણુઓના કારણે, મૂત્રનળીમાં વારંવાર કેથેટર નાંખવાથી ક્યારેક બહારના જીવાણુઓ પ્રવેશ પામે છે ત્યારે સોજો ઉદભવે છે.

સોજાના કારણે તેનીવહનક્રિયા ઘટે છે. મૂત્રવહન ક્રિયા સમતુલ થતી નથી જેથી પેશાબમાંપરુના કણો દેખાય છે. આ પરિક્ષા અણુવિક્ષણયંત્ર દ્વ્રારા કરવામાં આવે છે.મૂત્ર પરીક્ષામાં આલ્યુબીન, પસ સેલ્સ, રોગોના કારણભૂત જીવાણુઓ, રક્ત કણ મળે છે અને પેશાબ અમલીય પ્રતિક્રિયાવાળો હોય છે. વૃક્કાશયમાં મૂત્રસંચય થાય છે. ત્યારે પણ પેશાબમાં પરુના કણો દેખાય છે.

તીવ્ર હુમલાના લક્ષણો- તીવ્ર હુમલામાં ઠંડી સાથે તાવ ચઢે છે. 102 થી 104 ડીગ્રી સુધી વધે અને ચાલુ તાવમાં મેલેરીયાનો ભ્રમ પેદા થાય. માથાનો દુખાવો, ઊલ્ટી, ઊબકા, શિથિલતા ઉપરાંત કમર અને વૃક્કાપ્રદેશમાં ધીમી પીડા થાય છે. આ રોગની ત્રીજી અવસ્થામાં જે અવસ્થા જીર્ણ છે તેમાં ઓછા વત્તા પ્રમાણમાં પરુના કણો કાયમ માટે પેશાબની તપાસમાં દેખાયા કરે છે.

પેઢામાં ભાર લાગી વારંવાર પેશાબની હાજત થાય, ક્યારે બળતરા બળે, ક્યારેક રોકાઇને આવે, કમરમાં સખત દુખાવો રહે, શરીર જકડાઇ ગયા જેવું લાગે. આ જીર્ણ અવસ્થા મુખ્યત્વે પથરીની બીમારી પછી પ્રોસ્ટેટના રોગોના કાર્ણે વૃક્ક કિડનીએ મોટી થવાના સુજવાના કારણો વિશેષ જોવા મળે છે.

પેશાબ ટીપે ટીપે થવો, વારંવાર જવાની શંકા થવી અને પેશાબ ભરાયેલો રહે તે લક્ષણો વીશેષ રીતે જોવા મળે છે. શરીરની ક્ષમતાશક્તિ તે રોગ સામેની પ્રતિકારકશક્તિ છે. ક્ષમતાશક્તિનો હ્રાસ થવો એટલે દોષોની વૈષ્મ્યતા એટલે રોગનો ઉદભવ.

માનવ શરીરના અંગ પ્રત્યાંગમાં તેના પ્રત્યેક કોષોમાં ક્ષમતાશક્તિ ભરી પડી હોય છે. જ્યારે આ શક્તિનો હ્રાસ થાય છે ત્યારે તે અંગ પ્રત્યંગ રોગગ્રસ્ત થાય છે. જેમકે ફેફસાની નબળાઇથી છાતીના દર્દો, હ્રદયની ક્ષમતાશક્તિના હ્રાસથી હ્રદયનારોગો તેમ વૃક્ક એટલે કે કીડની અને તેમની ક્ષમતાશક્તિના હ્રાસથી કિડનીના રોગો ઉદભવે છે.

રોગ થવાના અનેક કારણો પૈકી એક કારણ જીવાણુઓને માનીએ તો પણ માનવીમાં શરીરમાં જીવાણુ દાખલથવા માટે શરીરની ક્ષમતાશક્તિનો હ્રાસ થયો હોય તો જ જીવાણુને હુમલો કરવાની તક મળે છે.પ્રમેહ તે કિડની વૃક્કની ક્ષમતાશક્તિનોઅભાવ.આ રોગ મટાડવા માટે નિર્બળ બનેલા અવયવ સ્વસ્થ બનાવવામાં આવે તો રોગનો ઉદભવ વારંવાર થતો નથી.

ઉપચારો: વિકૃત વીજ્ઞાનની દ્રષ્ટિએ મૂત્ર પરીક્ષામાંતેના કલ્ચરથી કેવા પ્રકારના જીવાણુઓ છે તે જાણીને સેંસીટીવ ડ્રગના ઔષધો ઉપયોગી છે કે કેમ તે જાણી શકાય છે અને ઉપયોગી ઔષધ આપવાથી લાભ તુરંત જ જણાય છે.છતાં પણ આ ઔષધો જ્યારે તેની તપાસમાં ઉપયોગી જણાતા નથી ત્યારે ઔષધો આપવાનો પ્રશ્ન મુશ્કેલ બને છે.

આયુર્વેદની દ્રષ્ટિએ વૃક્કાશયને વધુ બળ ન પડે અને તેની ક્ષમતાશક્તિ વધે તેવા આહાર અને ઔષધ આપવાનું હોય છે. ખોરાકમાં જવ પ્રાધાન્યવાળો ખોરાક, કફ ન કરે તેવો રૂક્ષ આહાર આપવો જોઇએ. નિમ્વાદી યોગ:આ રોગમાં નિમ્વાદી યોગ પ્રશસ્ત્ર ઔષધ છે.

આ ઔષધ બનાવવામાટે લીમડામાં કુમળા પાન 250 ગ્રામ, ફટકડી 100 ગ્રામ, કપૂર 25 ગ્રામ લેવું. લીમડાના પાનને ઝીણા ચટણી જેવાં લસોટી લઇ ફટકડીનો બારીક ભૂકો કરવો.માટીનીહાંડલીમાં અડધી ફટકડી નીચે પાથરી ઉપર કપૂર મૂકી બાકીની ફટકડીથી કપૂર દબાવી દેવું.

ત્યારબાદ લીમડાની ચટણીથી ચારેબાજુ દબાવી દેવું અને ધીમા તાપ ઉપર મૂકવું. જ્યારે આંગળીથી ભૂકો થઇ શકે ત્યારે નીચે ઉતારી ઠંડુ થવાથી વાટીને બારીક ચૂર્ણ કરી બાટલી ભરી દેવી. માત્રા: 2માસ દિવસમાં ત્રણ વાર દૂધ સાથે આપવું, 6 થી 7 દિવસના પ્રયોગથી જ લાભ થવા માંડે છે.

પ્રોસ્ટેટની વૃધ્ધિના કારણે આ રોગ હોય તો સુવર્ણ વસંત કુસુમાકર 2 રતી, પુનર્નવાદી ગુગળ 6 રતી, ગોક્ષુરાદી ગુગળ 6 રતી, ચંદ્રપ્રભા 6 રતી મેળવી બે પડીકા કરવા. સાથે સરગવો, વાયવરણો અને ગોખરુ સમભાગે લઇ તેનો ભૂકો બે તોલા સવાર સાંજ કવાથ વિધિ પ્રમાણે બનાવી પડીકી ઉપર પીવો. સાથે નિમ્યાદીયોગનો ઉપયોગ કરવો.આ પ્રયોગ અન્ય શોથનાકારણે થતાં પેશાબના રઓગમાં ઉપયોગી છે. ઉપરોક્ત ઔષધોનો સફળતાપૂર્વક વર્ષોથી તેનો પ્રયોગ કરી લાભ મેળ્વ્યો છે.

કેટલીકવાર આ ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આપી જાય છે.  એક સમયે ૧ થી ૨ પ્રયોગ કરી શકાશે. કેસુડાનાં પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઇ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઇ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.

પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું, જેથી, તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે.  જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યાઓ હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે – ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે.

ઘણીવાર પેશાબ ટીપે-ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલાં સામાન્ય ઉપાયોથી પણ આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે. વળી, ઈન્દ્રવરણાનું મૂળ પાણીમાં ઘસીને દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે.

ગોખરુ ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે, અને પેશાબની છૂટ થાય છે. આદુનો રસ ખડી સાકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે કરેલો ઔષધ પ્રયોગ આ રોગમાં ઘણો જ ફાયદાકરાક સાબિત થાય છે, તે વાતમાં બે મત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.