Western Times News

Gujarati News

નડિયાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ ઝુંબેશ યોજાઈ

(માહિતી) નડિયાદ, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના ભાગરૂપે હાલમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ ચાલી રહેલ છે જે તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ચાલશે. જે અન્વયે ભારતના ચૂંટણીપંચે ૪(ચાર)

રવિવાર તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૦૫/૦૯/૨૦૨૨ (રવિવાર) અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નકકી કરેલ છે. આ ચાર ખાસ ઝુંબેશના દિવસો પૈકી આજ તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર) ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો (કુલ–૧૭૪૪ મથકો) ઉપર સવારના ૧૦–૦૦ થી સાંજના ૫–૦૦ કલાક સુધી બી.એલ.ઓ. હાજર રહયા

અને સમગ્ર દિવસ દરમ્યાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે, નામ – સરનામામાં સુધારા – વધારા કરવા માટે, નામ કમી કરવા માટે અને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

જિલ્લામાં તમામ મતદાર નોંધણી અને નાયબ કલેકટરશ્રીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીઓ / તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ આ પ્રસંગે પોતાના ભાગના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી અને આ કામગીરીને વેગવંતી બનાવી.

આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ પણ ૧૧૬–નડીઆદ વિધાનસભા મતદાર વિભાગના સેન્ટ મેરી હાઈસ્કુલ, નડીઆદ ખાતે અને એસ.આર.પી.ગ્રુપ નડીઆદ ખાતેના મતદાન મથકોની મુલાકાત લઈ જાતે ચકાસણી કરી. સદર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને આ ખાસ ઝુંબેશના આગામી ત્રણ રવિવારના દિવસોએ પણ વધુમાં વધુ જાહેર જનતા આ કામગીરીમાં સહભાગી બને તે માટે અપીલ કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણીપંચ ધ્વારા અમલમાં મુકેલ છે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નવા મતદારો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત નામ, અટક કે અન્ય વિગતમાં સુધારો પણ કરાવી શકાશે અને નામ કમી કરાવવાનું હોય તો નામ કમી પણ કરાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.