Western Times News

Gujarati News

ઉજ્જૈન:હિન્દુ સંગઠનોએ રણબીર-આલિયાનો વિરોધ કર્યો જેથી તેેઓ દર્શન કર્યા વગર જ પાછા ફર્યા

હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ

મહાકાળના દર્શન કર્યા વિના જ પાછા ફર્યા રણબીર-આલિયા

બ્રહ્માસ્ત્રની રીલિઝને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આલિયા, રણબીર અને અયાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી

મુંબઈ,બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અને સાથે જ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મની કાસ્ટ અત્યારે પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેઓ ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

પરંતુ રણબીર કપૂરે ભૂતકાળમાં બીફ પર આવેલા એક નિવેદનને કારણે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો. હિન્દુ સંગઠનોએ રણબીર-આલિયાનો વિરોધ કર્યો જેના કારણે તેમણે દર્શન કર્યા વગર જ પાછા ફરવુ પડ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરની સાથે ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી પણ હતો.

તેઓ ફિલ્મની સફળતા માટે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્રનું ટીઝર રીલિઝ થયું ત્યારથી જ અલગ અલગ કારણોસર તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન રણબીર કપૂરનો વર્ષો જૂનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યો છે કે, તેને બીફ ખાવાનું પસંદ છે.

આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરવામાં આવી અને ફિલ્મના બહિષ્કારની માંગ તેજ થઈ ગઈ. આ જ કારણોસર જ્યારે રણબીર અને આલિયા મંદિર પહોંચ્યા તો હિન્દુ સંગઠનોએ તેમનો વિરોધ કર્યો. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તેમણે દર્શન કર્યા વગર જ મુંબઈ પાછા આવવુ પડ્યુ હતું. આલિયા-રણબીર અને અયાન ઉજ્જૈન આવવા બદલ ઘણાં ઉત્સુક હતા.

આલિયા ભટ્ટ ગ્રીન કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી હતી અને રણબીર કપૂરે પણ સફેદ કૂર્તો પહેર્યો હતો. આલિયા ભટ્ટે ઉજ્જૈન પહોંચતા પહેલા એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, બ્રહ્માસ્ત્રની રીલિઝમાં બસ ૩ દિવસ બાકી છે. લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. આ દરમિયાન અમે મહાકાળના દર્શન માટે જઈ રહ્યા છે.

એરપોર્ટ પર પણ ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા. મંદિરથી જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં જાેઈ શકાય છે કે પોલીસ વિરોધ કરનારા લોકોને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. મહેમાનો મંદિરની મુલાકાતે આવવાના હોવાને કારણે અમે સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન અમુક લોકો ભેગા થયા અને વિરોધ કરવા લાગ્યા. તેમાંથી એક વ્યક્તિએ પોલીસ સાથે લડાઈ કરવાની શરુઆત કરી હતી. ઈન્ડિયન પીનલ કોડના સેક્શન ૩૫૨ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.