Western Times News

Gujarati News

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાયુ વાવાઝોડા રાહત કાર્ય સંપન્ન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વાયુ વાવાઝોડા રાહત કાર્યના ભાગરૂપે શિવજ્ઞાનથી જીવસેવાના આદર્શને અનુસરીને વિસ્થાપિત લોકો અને સમુદ્ર કાંઠાના વિસ્તારના ગરીબ લોકો વચ્ચે રાજકોટ, મોરબી અને ગિર-સોમનાથ જિલ્લાના ૨૪ વિસ્તારોમાં લગભગ પાંચ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક પેકેટમાં ૧૦૦ ગ્રામ ગાંઠિયા, ૧૦૦ ગ્રામ બુંદી અને ૫૦ ગ્રામ સેવમમરા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.