Western Times News

Gujarati News

અભિનેતા સલમાન ખાન સેટ છોડીને જતો રહ્યો હતો

મુંબઈ, સાથે મળીને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી હિટ ફિલ્મ આપનારી સંજય લીલા ભણસાલી અને સલમાન ખાનની જાેડીનું રિયુનિયન ફરી ક્યારે થશે તેની ફેન્સ રાહ જાેઈ રહ્યા હતા.actor-salman-khan-was-leaving-the-set

૨૦૧૯માં ફિલ્મમેકરે તેઓ સલમાન ખાનને લઈને ફિલ્મ ‘ઈંશાઅલ્લાહ પર કામ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી, જેમાં લીડ રોલમાં આલિયા ભટ્ટને કાસ્ટ કરી હતી.

આ ફિલ્મ ૨૦૨૦માં ઈદ પર રિલીઝ થશે તેવી પણ શક્યતા હતી. જાે કે, ભણસાલી અને સલમાન વચ્ચે ક્રિએટીવ મતભેદો થયા હતા અને થોડાભાગના શૂટિંગ બાદ આ ફિલ્મ અટકી પડી હતી. આ કિસ્સા બાદ પ્રોફેશનલ લાઈફમાં બંને વચ્ચેના સંબંધો પર હંમેશા માટે પૂર્ણવિરામ મૂકાયું હોવાની ચર્ચા છે.

જાે કે, ભણસાલીએ ફિલ્મ બનાવવાનું સપનું છોડ્યું નથી. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં, પ્રોડક્શન ડિઝાઈનર અને સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર રુપિન સુચકે ક્રિએટિવ મતભેદોના કારણે અટવાઈ પડેલી આ ફિલ્મમાં પોતાના યોગદાન વિશે જણાવ્યું હતું.

તેમણે તે દિવસને યાદ કરતાં કહ્યું હતું કે, સલમાન અને ભણસાલી બંને સેટ છોડીને જતાં રહ્યા હતા. તેમણે ફિલ્મનો સેટ બનાવવાના પ્રી-પ્લાનિંગમાં એક વર્ષ કરતાં વધુ સમય આપ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. ‘નવ મહિનાના સમયમાં અમે ૨૪ સેટ ડિઝાઈન કર્યા હતા.

અમે ત્રણ બિલ્ડિંગનો સેટ બનાવવાનું શરૂ કરી દીધું હતું, જેમાંથી એક પૂરો કર્યો હતો. બીજાે સેટ પૂરો થવાની તૈયારીમાં હતો અને તે જ સમયે શૂટિંગ બંધ કરાયું હતું. ભણસાલી સાથે ઝઘડો થતાં એક્ટર સેટ છોડીને જતો રહ્યો હતો.

જાે કે, સૂત્રોને આપેલી માહિતી પ્રમાણે, ‘૨૦૧૯માં ભણસાલીએ ફિલ્મનું કામ બંધ કર્યું હતું અને તેઓ જ બહાર નીકળી ગયા હતા, સલમાન નહીં.

તેઓ તે સમયે ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. તેમણે તરત ઈંશાઅલ્લાની તારીખ આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે આપી દીધી હતી. જાે કે, તેઓ ઈંશાલ્લાહ બનાવવાના છે અને તે પણ આલિયા સાથે. જાે કે, સલમાનના બદલે ૫૦ વર્ષના કોઈ અન્ય એક્ટરને લેવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.