Western Times News

Gujarati News

કોરોના સંક્રમણને લીધે ભારતમાં હાર્ટ એટેક વધ્યા હોઈ શકે છે

Files Photo

નવી દિલ્હી, છેલ્લા અમુક મહિનાથી સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થયા જેમાં લોકોને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેમનુ મોત નીપજે છે.
તાજેતરના દિવસોમાં ભારતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો પણ જાેવા મળ્યો છે, જાેકે વૈશ્વિક સ્તરે પણ હાર્ટ એટેકના કેસ વધ્યા છે પરંતુ ભારતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોએ લોકોની ચિંતા વધારી દીધી છે. વૃદ્ધોની સાથે-સાથે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.

ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે ભારતમાં હાર્ટ એટેકના વધતા કેસનું કારણ કોરોના સંક્રમણ પણ હોઈ શકે છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે કોવિડ સંક્રમણના કારણે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જાેખમ વધી ગયુ છે.

સૌમ્યા સ્વામીનાથન અનુસાર કોરોના મહામારી બાદ લોકોમાં કાર્ડિયક અરેસ્ટના કેસ વધારે જાેવા મળી રહ્યા છે. કોવિડની વેક્સિન લગાવવાથી લોકોમાં પણ હાર્ટ એટેકનું જાેખમ વધુ છે. જે લોકો કોવિડ સંક્રમિત થઈને સાજા થઈ ચૂક્યા છે તેમના શરીરની ઈમ્યુનિટી ઘણી ઓછી હોય છે અને દરમિયાન ડાયાબિટીસ કે હાર્ટ એટેકનું જાેખમ વધી જાય છે.
અમુક સંશોધનમાં પણ એ ખુલાસો થઈ ચૂક્યો છે કે કોરોના સંક્રમણના કારણે ડાયાબિટીસના નવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. કોવિડ-૧૯ સંક્રમણના કારણે લોકોના હાર્ટના મસલ્સમાં સોજાની સમસ્યા પણ જાેવા મળી છે. જેનાથી હાર્ટ એટેકનું જાેખમ વધી જાય છે. જેમને પહેલા કોઈ હૃદય રોગ રહ્યો નથી તે લોકોમાં પણ હૃદય સંબંધિત બીમારીઓનું જાેખમ વધી ગયુ છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.