Western Times News

Gujarati News

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે નાણાકીયવર્ષ ૨૦૨૩-૨૪ માટે ગ્રામીણ રોજગાર ગેંરટી કાર્યક્રમ એટલે કે મનરેગા હેઠળ વેતન દરમાં વધારા માટે જાહેરનામુ બહાર પાડયું છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય,જે સરકાર હેઠળ આવે છે.તેણે ૨૪ માર્ચ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર માટે એક સૂચના બહાર પાડી છે.

નોંધનીય છે કે હાલમાં મનરેગામાં સૌથી વધુ દૈનિક વેતન હરિયાણામાં ૩૫૭ રુપિયા છે. જયારે મધ્યપ્રદેશમાં અને છત્તીસગઢમાં સૌથી ઓછું ૨૨૧ છે. બીજી તરફ, સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ,મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી અધિનિયમ (મનરેગા), ૨૦૦૫ની કલમ ૬(૧) હેઠળ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જે જણાવે છે કે કેન્દ્ર સરકાર માટે વેતન દરો નક્કી કરશે.

નોટિફિકેશન દ્વારા મનરેગાના લાભાર્થીઓ તેજ સમયે , વેતન ૭ રૂપિયાથી વધારીને ૨૬ રૂપિયા કરવામાં આવ્યું છે, જે ૧ એપ્રિલથી લાગુ થશે. ગત વર્ષના દરની સરખામણીમાં રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો નોંધાયો છે. રાજસ્થાન માટે સુધારેલું વેતન ૨૫૫ રૂપિયા પ્રતિ દિવસ છે.

જે ૨૦૨૨-૨૩માં ૨૩૧ હતું. બિહાર અને ઝારખંડમાં પાછલા વર્ષની સરખામણીમાં લગભગ ૮ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષ આ બંને રાજયોમાં મનરેગા કામદાર માટે દૈનિક વેતન ૨૧૦ રૂપિયા હતું. હવે તેમાં સુધારો કરીને રૂા. ૨૨૮ કરવામાં આવ્યો છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે, જયાં સૌથી ઓછું વેતન રૂા. ૨૨૧ છે, ગયા વર્ષની સરખામણીમાં ૧૭ ટકાનો વધારો નોંધાવામાં આવ્યો હતો.

૨૦૨૨-૨૩માં બંને રાજયોમાં દૈનિક વેતન ૨૦૪ રૂપિયા હતું. રાજયો માટે વેતનમાં વધારો બે થી ૧૦ ટકાની વચ્ચે છે. સૌથી ઓછી ટકાવારીનો વધારો નોંધાવનારા રાજયોમાં કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુરનો સમાવેશ થાય છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એ એક મુખ્ય કાર્યક્રમ છે. જેનો ઉદેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની બાંયધરીકૃત વેતન રોજગાર પ્રદાન કરીને આજીવિકાની સુરક્ષા પૂરી પાડવાનો છે. જેના પુખ્ત સભ્યો અકુશળ શારીરિક મજૂરી માટે સ્વૈચ્છિક છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.