હિંમતનગરમાં બંધ થયેલા રેલવે ઓવરબ્રીજનું કામ ફરી શરૂ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/2704-modasa-1024x755.jpg)
હિંમતનગર શહેરમા દુર્ગા બજાર પાસેના ૧૯.૩૫ કરોડની માતબર રકમના રેલવે ઓવરબ્રીજનું કામ ટેકનીકલ કારણોસર બંધ પડી રહ્યું હતું.
જે ટેકનિકલ કારણો દૂર કરી તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારે હિંમતનગરના માનનીય ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબના વરદ હસ્તે શ્રીફળ વધેરીને પુનઃ શરૂ કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનરશ્રી સિધ્ધાથૅભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનીબેન મોદી, અમૃતભાઈ પુરોહિત, સાવનભાઈ દેસાઈ વાસુદેવભાઈ રાવલ,
સર્વે નગરપાલિકાના કોર્પોરેટર, ભાજપ સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો, ચીફ ઓફિસર સાહેબ, અધિકારીશ્રીઓ અને નગરના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. ( તસ્વીર ઃ- બકોર પટેલ મોડાસા)