Western Times News

Gujarati News

વિદેશોમાં મોદી કદી ફાઇવ સ્ટાર હાટલોમાં ઊતરતા નથીઃ અમિત શાહ

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસો દરમિયાન કદી ફાઇવ સ્ટાર વૈભવશાળી હાટલોમાં ઊતરતા નથી, એરપોર્ટ પર જ આરામ અને દૈનંદિન પ્રવૃત્તિઓ કરી લે છે. ગૃહ પ્રધાન અમિત શાહે આજે સવારે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન પોતાના વિદેશ પ્રવાસોમાં ખોટા ખર્ચા કરવામાં કે દેખાડો કરવામાં માનતા નથી. એ સાદાઇથી એરપોર્ટ પર પોતાના આરામ અને દૈનંદિન પ્રવૃત્તિઓ કરી લે છે.

અમિત શાહે કહ્યું કે ખોટા દેખાડા કરવાનું કે બેફામ ખર્ચ કરવાનું નરેન્દ્ર મોદીને ગમતું નથી. એ સાદગીપૂર્ણ રીતે પ્રવાસ કરીને દાખલો બેસાડવામાં માને છે. એમના પ્રવાસો કોસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાય છે. ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક વડા પ્રધાન પોતે આ રીતે સાદાઇથી રહેતા હોય તો એમની સાથે ગયેલા લોકો કેવી રીતે ફાઇવ સ્ટાર હાટલોમાં રહી શકે ? આમ પોતાના વર્તન દ્વારા વડા પ્રધાન પોતાના સાથીઓ અને સરકારી અધિકારીઓ પર પણ દાખલો બેસાડે છે એમ શાહે વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.