Western Times News

Gujarati News

અનાવિલ સમાજ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

(પ્રતિનિધિ) વલસાડ, અનાવિલ સમાજ,વલસાડ તથા અનાવિલ સેવા સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાવિલ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ ઈચ્છાબા અનાવિલ વાડી,વલસાડ ખાતે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્વ.પ્રો.ભરતભાઈ નાથુભાઈ દેસાઈ, મૂળ ગામ લાડવી હાલ વલસાડ પારડીનાં સ્મરણાર્થે ઉષાબેન ભરતભાઈ દેસાઈ તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- નું માતબર દાન તેમજ સ્વ.રક્ષાબેન સુમંતરાય દેસાઈનાં સ્મરણાર્થે સીએ યતીન સુમંતરાય દેસાઈ કસનજી પાર્ક વલસાડ

તરફથી રૂ.૨૫,૦૦૦ નું દાન તથા સ્વ.અશેષ તથા સ્વ.ધવલનાં સ્મરણાર્થે રાજીવ શરદચંદ્ર દેસાઈ કોસંબા ભાગડા વલસાડ તરફથી રૂ.૨૫,૦૦૦ નું દાન અનાવિલ સમાજ વલસાડને મળેલ છે. અનાવિલ સમાજનાં પ્રમુખ શ્રી સમીરભાઈ દેસાઈ દ્વારા તમામ દાતાઓનું પુષ્પગુચ્છથી સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.