Western Times News

Gujarati News

જંબુસર તલાટી મંડળે ઈ-ટાસ હાજરી નહિ ભરવા આવેદન પાઠવ્યું

ભરૂચ: જંબુસર તાલુકા તલાટીક્રમ મંત્રી મંડળ દ્વારા ઈ-ટાસ એપ ડાઉનલોડ ન કરવા તથા થમ્પ્સ ઈમ્પ્રેશન અને વોટ્સઅપ ગૃપ નો ઉપયોગ ન કરવા બાબતે મામલતદાર જંબુસર ને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત રાજ્ય તલાટીક્રમ મંત્રી મહામંડળ દ્વારા તારીખ ૨૬-૧૧-૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,મુખ્ય સચિવ,અગ્ર સચિવ પંચાયત વિભાગ સહીત વિકાસ કમિશ્નર ને તલાટી મંડળ ના પડતર પ્રશ્નો ના નિકાલ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં ઈ-ટાસ ની અમલવારી બંધ કરવા જણાવ્યું હતું.જેનો ઉકેલ નહિ આવતા ૨-૧૨-૨૦૧૯ થી રાજ્ય ના તમામ તલાટીક્રમ મંત્રી ઓ રેવન્યુ કામગીરી બંધ કરવા તથા એન્દ્રોઈડ મોબાઈલ નો સંપૂર્ણ બહિષ્કાર કરી ગામ પર હાજરી આપી ફક્ત પંચાયત ની કામગીરી કરશે અન્ય કોઈ પણ વધારા ની કામગીરી નો બહિષ્કાર કરવા અંગે આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા ના આશરે ૭૧ જેટલા તલાટીઓ એકત્ર થઈ મામલતદાર કચેરી ખાતે જંબુસર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્ર આપવા જંબુસર તાલુકા ના તલાટીકર્મ મંત્રીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.