Western Times News

Gujarati News

સલમાન ખાન માટે રાખી સાવંતે રાખી બાધા

મુંબઈ, રાખી સાવંત કોન્ટ્રોવર્શિયલ ક્વીનની સાથે-સાથે ડ્રામા ક્વીન પણ છે. તે પોતાની હરકત અને વાતોથી બધાને એન્ટરટેન કરતી રહે છે. આજકાલ તેના દુબઈના ધક્કા વધી ગયા છે. આ માટે તે એરપોર્ટ પર સ્પોટ થતી રહી છે. સોમવારે મોડી રાતે પણ રાખી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

આ દરમિયાન તેણે નિયોન ગ્રીન કલરના ટીશર્ટની સાથે ડેનિમ પહેર્યું હતું અને પિંક કલરનું જેકેટ કેરી કર્યું હતું. પરંતુ બધાનું ધ્યાન તેના ખુલ્લા પગ પર ગયું હતું, તેણે ચપ્પલ પહેર્યા નહોતા. તેને આમ જાેઈ ફોટોગ્રાફર્સને પણ નવાઈ લાગી હતી. ત્યારે તેણે આ પાછળનું કારણ સલમાન ખાન હોવાનું જણાવ્યું હતું.

આ સાથે તેણે દબંગખાન માટે માનતા રાખ્યાનું શેર કર્યું હતું. રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જેકેટથી પોતાનો ચહેરો છુપાવી ચાલતો જાેવા મળી હતી. તેમ છતાં ફોટોગ્રાફર્સ તેને ઓળખી ગયા હતા. તેમાંથી એકે ચપ્પલ ન પહેરવા પાછળનું કારણ પૂછ્યું હતું. તેના પર રાખીએ કહ્યું હતું ‘મારે માનતા છે’, ફોટોગ્રાફર્સે ‘કઈ વાતની માનતા છે?’ તેમ પૂછતાં તેણે કહ્યું હતું ‘શ્રીલંકાથી દુબઈથી ચપ્પલ વગર આવી છું. જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું. તે મારો ભાઈ છે’.

ત્યારે એક ફોટોગ્રાફરે કહ્યું હતું કે ‘તો તો તારે આખી જીંદગી ચપ્પલ વગર રહેવું પડશે’. આગળ તેણે કહ્યું હતું કે ‘જ્યાં સુધી સલમાનભાઈના લગ્ન નહીં થાય ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું’, એક ફોટોગ્રાફરે સવાલ કર્યો હતો કે ‘જાે તેના લગ્ન નહીં થાય તો શું કરીશ? શું તે કોઈ છોકરી જાેઈ રાખી છે?’ ત્યારે રાખીએ ઉમેર્યું હતું કે, ‘ભાઈએ છોકરી જાેઈ રાખી છે. હું તો એમ જ ઈચ્છું છું કે ભાઈ હવે ઠરીઠામ થઈ જાય’.

કારમાં બેસ્યા બાદ તેણે પોતાના પગ દેખાડ્યા હતા અને ઉમેર્યું હતું કે ‘સલમાનજી લગ્ન કરી લો. જુઓ મારા પગમાં ચાંદા પડી ગયા છે. તમે લગ્ન કરો, બાળકો આપો, આપણા દેશને બાળકો આપો. તમારા માટે ઉઘાડા પગે આવી છું શ્રીલંકાથી દુબઈથી’.

બાદમાં તેણે દુબઈથી જે ચોકલેટ લાવી હતી તે ફોટોગ્રાફર્સને આપી હતી. રાખી સાવંત તેની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહી છે. પહેલા તેણે રિતેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી અલગ થયા બાદ તે દુબઈના બિઝનેસમેન આદિલ ખાન દુરાનીના પ્રેમમાં પડી હતી.

બંનેએ ગત વર્ષે નિકાહ કરી લીધા હતા અને રાખીએ તેના માટે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. જાે કે, આ સંબંધો પણ વધારે ટક્યા નહીં. રાખીએ શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ લગાવતા આદિલ જેલભેગો થયો હતો. બંનેના ડિવોર્સની હાલ પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન, રાખી સાવંત ફરીથી પ્રેમમાં પડી છે. ગત મહિને તેણે કહ્યું હતું કે તે દુબઈના જ કોઈ વ્યક્તિના પ્રેમમાં છે. પરંતુ ભૂતકાળમાં થયેલા કડવા અનુભવથી તે આગળ વધતા ડરી રહી છે.

તેણે કહ્યું હતું કે ‘આદિલ સાથેના લગ્નજીવન દરમિયાન મેં ઘણી પીડા ભોગવી હતી. જે ભૂલવા માટે હું દુબઈ ગઈ હતી. ત્યાં કોઈએ મને તેમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. હું પણ ઈચ્છું છું કે મારા જીવનમાં ખુશીઓ આવે. બધા દુઃખને ભૂલી જાઉ. હું ડિપ્રેશનમાં હતી એટલે દુબઈ ભાગી ગઈ હતી. ત્યાંથી ઘણો મલમ લઈને આવી છું. ઘણા લોકો હોય છે જે તમને નુકસાન પહોંચાડે છે, કેટલાક લોકો તમારા ઘા પર મીઠું ભભરાવે છે. આવા લોકો માટે દિલના દરવાજા હંમેશા માટે બંધ કરી દેવા જાેઈએ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.