Western Times News

Gujarati News

અમદાવાદમાં વર્ષ ૨૦૨૧માં ૪.૫૬ કરોડના ખર્ચે બનાવાયેલું તળાવ પાણીમાં ગરકાવ થયું

અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે.

અમદાવાદમાં વર્ષ ૨૦૨૧માં ૪.૫૬ કરોડના ખર્ચે બનાવાયેલું તળાવ પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. જે તળાવને વિકાસનો ઢોળ ચડાવવામાં આવ્યો તે તળાવ હાલ અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે.

વર્ષ ૨૦૨૧માંલાંભા તળાવનું કરોડો રૂપિયા ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું.જાે કે હાલ અહીં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ થયું હોય તેવુ જાેવા મળી રહ્યુ છે.

વર્ષ ૨૦૨૧માં તત્કાલીન મેયર બીજલ પટેલના હસ્તે જે તળાવને ખુલ્લુ મુકાયું તે તળાવની હાલ દુર્દશા થઇ છે. આ સ્થિતિ પાછળ મનપાના બેદરકાર અધિકારીઓ જવાબદાર જણાઇ રહ્યા છે.

હાલ તળાવમાં સિંચાઇનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને ટ્રિટમેન્ટ વોટરનો પ્રવાહ ચાલુ રખાયો છે. જેના પગલે તળાવ ગંદકીથી ઉભરાયું છે અને કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા વોક વે સહિત પ્લે એરિયા પાણીમાં ગરકાવ થયો છે.

એટલે કે બેદરકારીના પાણી તળાવ પર ફરી વળ્યા છે.પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે તંત્રના વાંકે આ સ્થિતિ સર્જાઇ છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.