અનુપમાથી અર્ચના સુધી, ટીવીની ૭ વહુઓએ રડી-રડીને વધારી ટીઆરપી

મુંબઈ, આજે અમે તમને ટીવીની આવી જ ૭ વહુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની દુખભરી ઓનસ્ક્રીન લાઈફે શોની ટીઆરપીને આસમાને પહોંચાડી દીધી હતી. જ્યારે પણ આ વહુઓને સ્ક્રીન પર પ્રેમમાં દગો મળ્યો ત્યારે તેમની સાથેના દર્શકો પણ તેમના આંસુ રોકી શક્યા નહીં.
સૌથી પહેલા વાત કરીએ ‘અનુપમા’ શો વિશે જે ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોમાં એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ના રોલમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસે પોતાની દમદાર એક્ટિંગ દ્વારા દર્શકો સાથે એક ખાસ બોન્ડિંગ બનાવ્યું છે.
ટીવીની વહુઓ વિશે વાત કરીએ ત્યારે ગોપી બહુનું નામ ન આવે એ શક્ય નથી. લેપટોપ ધોવાનું હોય કે અભણ હોવા છતાં કરોડો રૂપિયાનો બિઝનેસ સંભાળવો, ‘ગોપી બહુ’એ બધું જ કર્યું હતું. શોના શરૂઆતના દિવસોમાં આ રોલમાં જાેવા મળેલી એક્ટ્રેસ જિયા માણેકે પોતાની માસુમિયતથી બધાના દિલ જીતી લીધા હતા.
જિયા માણેક પછી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ ‘ગોપી બહુ’નું પાત્ર ભજવ્યું હતું અને દર્શકોએ પણ તેમને આ પાત્રમાં પ્રેમ કર્યો હતો. અર્ચના એટલે કે અંકિતા લોખંડેની સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ટીવી જગતમાં ક્યારેય ન ભૂલી શકાય એવો શો છે.
આ શોમાં અંકિતાએ ‘અર્ચના’નું પાત્ર ભજવીને વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. અક્ષરા ઉર્ફ હિના ખાન ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંની એક છે. હિના ખાને ૯ વર્ષ સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘અક્ષરા’નું પોપ્યુલર પાત્ર ભજવ્યું હતું.
આજે, ક્રિસ્ટલ ડિસોઝા વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કીલ્સ બતાવી રહી છે, પરંતુ આ પહેલા તેણે ઘણી સિરિયલોમાં સંસ્કારી વહુની ભૂમિકા ભજવી છે. આ એક્ટ્રેસ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’, ‘કવચ’ અને ‘એક નયી પહચાન’ જેવી સિરિયલોમાં વહુની ભૂમિકામાં જાેવા મળી છે.
શ્વેતા તિવારીએ વર્ષો પહેલા ટેલિકાસ્ટ શો ‘કસૌટી ઝિંદગી સે’ દ્વારા દર્શકોમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ સિરિયલમાં આ એક્ટ્રેસ ‘પ્રેરણા શર્મા’ના રોલમાં જાેવા મળી હતી અને દર્શકોએ તેના પાત્ર પર દિલ ખોલીને પ્રેમ લૂંટાવ્યો હતો. SS1SS