છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચન કેમ ચૂપ ?
 
        ફક્ત સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે પાણી માથા ઉપર હોવા છતાં અભિષેક અને ઐશ્વર્યા ચૂપ કેમ રહે છે?
મુંબઈ, બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીના એવા થોડા લોકોમાંથી એક છે જે વિવાદોથી દૂર રહે છે. તે તમામ કલાકારો સાથે સારા સંબંધો ધરાવે છે અને તેના પારિવારિક જીવનનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ હોવા છતાં, અભિષેક બચ્ચનના લગ્ન જીવન વિશે સમયાંતરે નકારાત્મક સમાચાર આવતા રહે છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના અને ઐશ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેઓ હવે જલદી છૂટાછેડા લેવાના છે.
ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે પાણી માથા ઉપર હોવા છતાં અભિષેક અને ઐશ્વર્યા ચૂપ કેમ રહે છે? જો તમને પણ આ વાત નથી સમજાતી તો તમને જણાવી દઈએ કે આનું કારણ છે ઐશ્વર્યા છે. વાસ્તવમાં, અભિષેકે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ઐશ્વર્યા તેને એટલી સલાહ આપી છે કે તે આવા સમાચારો પર ધ્યાન ના આપવું જોઈએ.
અભિષેક બચ્ચનના આ અંગે કહ્યું હતુ કે તેણે કહ્યું કે “તે બતકની પીઠ પરથી પાણી કાઢવા જેવું છે,” તેણે કહ્યું. મતલબ કે કોઈને મળેલી ટીકા કે નકારાત્મકતા તેને મળેલા પ્રેમ અને વખાણ કરતાં ઘણી વધારે હોય છે.તેણે કહ્યું કે, ‘ઐશ્વર્યા રાય બચ્ચન એ મને એકવાર કહ્યું હતું કે જ્યારે તમે ફેમસ થાઓ છો, ત્યારે તમારા વિશે નકારાત્મક અને સકારાત્મક બાબતો ફેલાતી રહે છે. તમારે ફક્ત સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને લોકો તરફથી તમને મળતા પ્રેમનો સ્વીકાર કરવો જોઈએ.
નકારાત્મક બાબતો પર ધ્યાન આપ્યા વિના આગળ વધતા રહો અને જીવનનો આનંદ માણો અને અભિષેક તેની પત્ની ઐશની આ સલાહને અનુસરે છે અને કોઈપણ નકારાત્મક સમાચાર પર ધ્યાન આપતો નથી. અભિનેતાએ આગળ કહ્યું, વ્યક્તિએ હંમેશા જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઐશ્વર્યા નકારાત્મક બાબતોથી આગળ વધવાની સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે આ કારણોસર કપલ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપતા નથી.ss1

 
                 
                 
                