Western Times News

Gujarati News

વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિર શોભા યાત્રામાં પણ મુખ્યમંત્રી સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા

રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદના વસ્ત્રાલમાં અયોધ્યાધામ શ્રી રામ મંદિર ખાતે આયોજિત ‘શ્રી રામ મંદિરના વાલમ વધામણા – શ્રી રામોત્સવ’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે મંગલ કામના પણ કરી હતી. એટલું જ નહિ આ અવસરે આયોજિત શોભા યાત્રામાં પણ મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી વલ્લભ કાકડિયા, શ્રી સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.