Western Times News

Gujarati News

82 લાખનો બ્રાસનો માલ લઈ નાસી છૂટેલો ટ્રકચાલક ઝડપાયો

પ્રતિકાત્મક

જામનગર, જામનગરમાં દરેડ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે વેપારીનો રૂ.૮ર.રપ લાખનો બ્રાસનો માલ ભરીને રવાના થયેલાં ટ્રકચાલકો ફરાર થઈ ગગયો હતો. જેને એલસીબી ટીમે કામરેજ પાસેથી મુદામાલ સાથે પકડી પાડયો હતો.

વિગત પ્રમાણે જામનગરનાં વેપારી તુષારભાઈ ગાગીયાની કંપનીને મહારાષ્ટ્રના સિનર નાસીક વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપોર્ટસનો તૈયાર માલ સામાન મોકલવા માટેનો ઓર્ડર મળ્યો હતો. જેમાં દરેડમાં આવેલી ટોપ મેન્યુફેકચરીગ કંપનીમાંથી રૂ.૮ર.રપ,૭૮૦ની કિમતનો તૈયાર માલસામાન રવાના કરવાનો હતો.

જે ઓર્ડર મુજબ વેપારી તુષારભાઈ દ્વારા જામનગરના ટ્રકચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરીને આશાપુરા રોડવેઝ કંપની મારફતે ૧૦ ટન માલ ભરીને રવાના કરવામાં આવ્યો હતો.જે જથ્થો ભરીને જામનગરથી ટ્રકચાલક નીકળ્યા પછી નાસીકના નિર્ધારીત સ્થળે પહોચ્યા ન હતો. અને તપાસ દરમ્યાન બ્રાસપોર્ટસનો માલ અન્ય સ્થળે ઉતારી છેતરપિડી કરી હોવાનું જણાયું હતું. જેથી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે એલસીબી ટીમે પણ તપાસમાં જોડાતા બાતમી મળી હતી કે, સુરતના કામકરેજ નજીક ટ્રક ડ્રાઈવર મુદામાલ સગેવગે કરવાની તજવીજ કરે છે. તેથી એલસીબી ટીમે કામરેજ વિસ્તારમાં વોચ ગોઠવીને લસકાણા પાસેથી ડ્રાઈવર ધર્મેન્દ્રુસિંહ ઝાલાને ઝડપી લઈ પુછપરછ કરાતા તેણે અહી બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે એક દુકાનમાં બ્રાસના સામાનના ૩૧૦ પેકેટ મુકી રાખ્યાની કબુલાત આપી હતી. પરીણામે એલસીબીએ તમામ મુદામાલ કબજે લઈને ટ્રકચાલકને જામનગર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.