Western Times News

Gujarati News

ખેડૂત નેતાનું પરાક્રમ: ૧૯૭૪માં પૂર્વ વડાપ્રધાનની રેલીમાં સિંહ છોડી દીધો હતો

નવી દિલ્હી, ખેડૂત નેતાઓની વાત કરીએ તો સ્વામી સહજાનંદ સરસ્વતીથી લઈને મહેન્દ્ર સિંહ ટિકૈત, ગુરનામ સિંહ ચઢૂનીથી લઈને રાકેશ ટિકૈત સુધીના દરેક લોકો આગળ રહ્યા છે. હવે જગજીત સિંહ ડાલેવાલા અને સર્વન સિંહ પંઢેર ખેડૂતોનું નેતૃત્વ કરી રહ્યા છે.

ઇન્દિરા ગાંધીના સમયમાં એક ખેડૂત નેતા હતા જેમણે ૧૯૭૪માં પૂર્વ વડાપ્રધાનની રેલીમાં સિંહ છોડી દીધો હતો. ઇન્દિરાની એક વાત સાથે સહમત ન થઈને તેણે આ પરાક્રમ કર્યું હતું. અમે વાત કરી રહ્યા છીએ ખેડૂત નેતા બિહારી સિંહ બાગીની. ત્યારે ઇન્દિરા ગાંધી ઉત્તર પ્રદેશના દાદરીમાં ગુર્જર નેતા રામચંદ્ર વિકલની ચૂંટણી સભામાં સામેલ થવા આવ્યા હતાં.

તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, પરંતુ સિંહને જોઈને ભીડ પોતાના જીવ બચાવવા ભાગવા લાગી. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દાદરીના ખેડૂત નેતા બિહારી સિંહ બાગી ઇન્દિરાગાંધીના ખૂબ નજીકના ગણાતા હતા. દાદરી વિસ્તારના લોકો બિહારી સિંહને ખેડૂતોના આંદોલનમાં સક્રિય ભાગ લેવાને કારણે ખૂબ પસંદ કરતા હતા.

તેઓ દાદરી વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગતા હતા. તેણે ઈÂન્દરા ગાંધી પાસેથી ટિકિટ માંગી, પરંતુ તે ચૌધરી ચરણ સિંહ સાથે સ્પર્ધા કરવા માટે ખેડૂત નેતા તૈયાર કરવા માગતી હતી.

તેને બાગપતથી સાંસદ રામચંદ્ર વિકલને યુપી સરકારમાં જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે કૃષિ મંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ બિહારી સિંહને બદલે વિકલને દાદરી વિધાનસભાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેનાથી બિહારી સિંહ નારાજ થઈ ગયા.

ઇન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે, રામચંદ્ર વિકલને કોઈપણ પ્રકારે જીતાડવા ઈચ્છતી હતી. તેથી, તે પોતે રામચંદ્ર વિકલની જાહેર સભામાં ભાગ લેવા દાદરી પહોંચી હતી. તે જ સમયે, કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાથી નારાજ બિહારી સિંહ બાગીએ દાદરી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

તેમને ચૂંટણી ચિન્હ સિંહ મળ્યો હતો. જ્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઇન્દિરા ગાંધી પોતે વિકાસ માટે પ્રચાર કરવા દાદરીમાં જાહેર સભા કરશે, ત્યારે બિહારી સિંહે તેમને રેલીમાં ન આવવા ચેતવણી આપી. જ્યારે ઇન્દિરા ગાંધી તેમની ચેતવણીને અવગણીને દાદરી પહોંચ્યા ત્યારે બિહારી સિંહ ગાઝિયાબાદમાં ચાલતા સર્કસમાંથી ભાડેથી સિંહ લઈ ગયાં.

બિહારી સિંહ બાગીએ સર્કસમાંથી ૫૦૦ રૂપિયામાં પાંજરું અને સિંહ ભાડેથી મેળવ્યા હતા. તેણે તેને એક રાત માટે કપડાથી ઢાંકી દીધો. પછી જ્યારે ઈÂન્દરા ગાંધી દાદરી આવ્યા અને તેમણે રેલીમાં લોકોને સંબોધન કરવાનું શરૂ કર્યું, ત્યારે જ બિહારી સિંહે પાંજરું ખોલ્યું અને સભામાં સિંહને છોડ્યો. ખૂંખાર જાનવરને ખુલ્લો જોઈને ઈંદિરા ગાંધીની સભામાં જોડાયેલી ભીડમાં દોડાદોડી થઈ ગઈ હતી.

ખુલ્લા સિંહને ફરતો જોઈને ફક્ત ૫ મિનિટમાં રેલીમાં જોડાયેલી ભીડ દૂર થઈ ગઈ હતી. ભાગદોડ થતાં ઈંદિરા ગાંધી ૫ મિનિટમાં જનસભા છોડીને ચાલ્યા ગયાં. દાદરી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર બિહારી સિંહ બાગી વિધાનસભા ચૂંટણી હારી ગયા.

પરંતુ, ઇન્દિરા ગાંધીની રેલીમાં સિંહ છોડવાના તેમના સ્ટંટનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર વિકલ પણ જીતી શક્યા નહીં. તે ચૂંટણીમાં દેવતા ગામના તેજસિંહ ભાટી દાદરી બેઠક પરથી જીત્યા હતા. બિહારી સિંહ પણ બળવાખોર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નજીકના માનવામાં આવતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.