Western Times News

Gujarati News

ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા કેજીબીવી છાત્રાલયની વિદ્યાર્થીનીઓને ધાબળા વિતરણ કર્યા

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઅલ એશોસિએશન (જેઆઈએ) દ્વારા ઝઘડિયાના રાણીપુરા ખાતે આવેલ કેજીબીવીમાં રહી ઝઘડિયા અભ્યાસ કરતી નિસહાય વિદ્યાર્થીનીઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. એશોસિયેશનના કમિટી સભ્ય નરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા જે વિદ્યાર્થીની ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થયા બાદ વાલિયા ખાતેની શ્રોફ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતી હશે તો તેવી વિધાર્થિનીઓનો તમામ ખર્ચો ઉઠાવવાની જાહેરાત કરી હતી.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે આવેલ કસ્તુરબા બાળ વિદ્યા મંદિર (કેજીબીવી) ખાતે ૧૦૦ વિદ્યાર્થીનીઓ રહી ૬ થી ૮ નો અભ્યાસ રાણીપુરા ખાતે અને ૯ થી ૧૦ નો અભ્યાસ ઝઘડિયા ડીડી હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં કરે છે. રાણીપુરા કેજીબીવી ખાતે ડ્રોપ આઉટ થયેલ,માં બાપ વિહોણી,આર્થિક રીતે અસમર્થ ભરૂચ,સુરત,નર્મદા જિલ્લાની ૧૦૦ વિદ્યાર્થીનીઓ ત્યાં રહે છે.આ વિદ્યાર્થીનીઓ માટે ઘણી બધી સંસ્થાઓ,કંપનીઓ આગળ આવી રહી છે.

હાલમાં શિયાળાની મોસમ જામી રહી છે.વિદ્યાર્થીનીઓને ધાબળાની જરૂર હોઈ તેવી રજૂઆત ગામના આગેવાને ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એશોસિએશન ના ખજાનચી રાજેશ નાહતા ને કરી હતી.એશોસિએશન દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીનીઓ માટે ધાબળાની વ્યવસ્થા કરી ગતરોજ વિતરણ કર્યું હતું.આ પ્રસંગે એશોસિયેશનના ખજાનચી રાજેશ નાહતા,કમિટી સભ્ય નરેન્દ્ર ભટ્ટ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.કમિટી સભ્ય નરેન્દ્રભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીનીઓ ધોરણ ૧૨ માં ઉત્તીર્ણ થઈ એન્જિનિયરિંગ કરવા ઈચ્છુક હશે તેવી વિદ્યાર્થીનીઓને વાલિયાની શ્રોફ એસ.આર રોટરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.