Western Times News

Gujarati News

સિટીજન અમેન્ડમેન્ટ એક્ટ- CAA શું છે?

• બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA
• પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકશે
• હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓની નાગરિકતા માટેનો કાયદો
• આ કાયદા હેઠળ એ લોકો ગેરકાયદે પ્રવાસી છે જેઓ ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર રહે છે
• શરણાર્થીઓને ભારતની નાગરિકતા માટે આૅનલાઈન અરજી કરવી ફરજિયાત
• શરણાર્થી અરજદારે જણાવવું પડશે કે તેણે ભારતમાં કયા વર્ષમાં આશરો મેળવ્યો હતો
• શરણાર્થી અરજદારો પાસેથી કોઈ પુરાવા માગવામાં નહીં આવે
• તમામ શરણાર્થીઓએ ફક્ત અરજી કરશે અને ગૃહ મંત્રાલય તપાસ કરીને નાગરિકતા આપશે
• સામાન્ય રીતે ભારતમાં ઓછામાં ઓછાં ૧૧ વર્ષ રહેનારને જ નાગરિકતા આપવાનો નિયમ છે
• CAA આવતાં ૩ દેશોના બિન મુસ્લિમોને ભારતમાં ૬ વર્ષ થયાં હોય તો પણ નાગરિકતા મળી જશે
– ભારતના નાગરિકોને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતો CAA કાનૂન
• વર્ષ ૨૦૧૬માં લોકસભામાં અને ૨૦૧૯માં રાજ્યસભામાં પાસ થયું હતું CAA બિલ
• CAAના કાયદાને ૧૨ ડિસેમ્બર ૨૦૧૯માં રાષ્ટ્રપતિની મળી મંજૂરી
• ૨૦૨૪માં CAA લાગુ થતાં બિન મુસ્લિમ શરણાર્થીઓને આપશે ભારતની નાગરિકતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.