Western Times News

Gujarati News

થોડા દિવસો પહેલા થયેલી વૃદ્ધાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનારા આરોપીનો ધરપકડ કરી-વૃદ્ધાની હત્યા તેના જમાઈ દ્વારા જ કરવામાં આવી હતી

અમદાવાદ,  અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં ગત ૨૭મી ફેબ્રુઆરીના રોજ અવાવરું જગ્યા પરથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. નરોડા જીઆઈડીસી વિસ્તાર માથી ગળે ટૂંપો દીધેલી અને અર્ધનગ્ન હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનારા આરોપીનો ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ચોકાવનારી બાબત સામે આવી છે. વૃદ્ધાની હત્યા તેના જમાઈ દ્વારા જ કરવામાં આવી હતી. હત્યાના આરોપી અજય રાણાની પત્નીને વડસાસુએ તેની જાણ બહાર જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા. જેની અદાવત રાખીને વડસાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૭માં આરોપી અજય એક યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો, જેને પરિવારજનોને સ્વીકારી લીધો હતો, જોકે બંનેના અધિકૃત રીતે લગ્ન થયા ન હતા એટલે કે લગ્નના કોઈ પુરાવા પણ ન હતા.

આરોપી અને તેની પત્નીના લગ્નના કારણે એક બાળકને પણ જન્મ થયો હતો. થોડા સમય બાદ આરોપી અજયની એક ગુનામાં ધરપકડ પકડ થઈ હતી. જેથી તેની વડસાસુએ પૌત્રીની ચિંતા થતા તેના લગ્ન અન્ય જગ્યાએ કરાવી નાખ્યા, બાળક પણ તેની પત્ની લઈ ગઈ હતી. જેનો ખાર રાખીને આરોપી જમાઈએ તેનો વડસાસુની હત્યા નીપજાવી હતી.

જેલમાંથી બહાર આવ્યા બાદ ૨૭મી ફેબ્રુઆરીએ આરોપી અજય બપોરના સમયે નરોડા જીઆઇડીસી પાણીની ટાંકી પાછળ ખુલી જગ્યામાં કુદરતી હાજતે જઈ રહ્યો હતો, એ દરમિયાન તેની વડસાસુ લાકડાનો ભારો લઈને જઈ રહ્યા હતા. પરિસ્થિતિનો લાભ લઈને અજય તેની વડસાસુની હત્યા કરી નાખી ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી.

જેલમાંથી બહાર આવ્યા બાદ પત્નીના લગ્ન જાણ બહાર અન્ય સાથે કરાવી દેવાની વાત તેના પતિને ખબર પડી જેના કારણે આરોપી અજય બદલો લેવાની ફિરાકમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી અજય તેની સાસુ સાથે રહેતો હતો. હત્યા કર્યા બાદ આરોપી અજય પાલનપુર ભાગી ગયો હતો. જોકે થોડા દિવસ પહેલા કામ ધંધા માટે ફરીથી અમદાવાદમાં આવતા બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી અજયની ધરપકડ કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.