Western Times News

Gujarati News

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં રાવણનું પાત્ર યશ નહીં નિભાવે

બોબી દેઓલ નિભાવશે રાવણનું પાત્ર રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી દેવી સીતા અને સની દેઓલ હનુમાનની ભુમિકામાં છે

નીતેશ તિવારીની રામાયણમાં યશ રાવણ બનશે નહીં

મુંબઈ, નિતેશ તિવારીએ હાલમાં પોતાની ફિલ્મ રામાયણની શૂટિંગ શરૂ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી દેવી સીતા અને સની દેઓલ હનુમાનની ભુમિકામાં છે. પહેલા ખબર આવી હતી કે યશ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવશે. પરંતુ હવે એક રિપોર્ટ અનુસાર એક્ટર યશ ફિલ્મ રામાયણ સાથે ફક્ત પ્રોડ્યુસર તરીકે જોડાયેલા રહેશે અને તે રાવણનો રોલ પ્લે નહીં કરે.

એક સૂત્ર અનુસાર યશે રાવણના પાત્રની ઓફરને ઠુકરાવી દીધી છે. તે ફક્ત એક મેકરની રીતે ફિલ્મ સાથે જોડાયેલા છે તેમણે લગભગ ૮૦ કરોડ લેવાની જગ્યા પર ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું વિચાર્યું છે. કથિત રીતે નિતેશ તિવારીએ ફિલ્મના સેટ પર નો-ફોન પોલિસી પણ લાગુ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર કથિત રીતે કુંભકરણનું પાત્ર નિભાવવા માટે બોબી દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો છે.

એવી પણ ખબર છે કે વિજય સેતુપતિ રાવણના સૌથી નાના ભાઈ વિભીષણના પાત્રમાં જોવા મળશે. લારા દત્તા અને શીબા ચડ્ઢા પણ ફિલ્મનો ભાગ હશે. જ્યાં લારા કૈકેયીના પાત્રમાં જોવા મળશે ત્યાં જ શીબા મંથરાની ભુમિકા નિભાવશે. આ ફિલ્મ દિવાળી ૨૦૨૫ પર આવશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.