Western Times News

Gujarati News

હવે ભૂલનું પુનરાવર્તન નહીં થાય: બાબા રામદેવ

નવી દિલ્હી, યોગ ગુરુ સ્વામી રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ફટકો મળ્યા બાદ પતંજલિ આયુર્વેદે એક રાષ્ટ્રીય દૈનિકમાં જાહેર માફી પત્ર પ્રકાશિત કર્યા છે. આમાં પતંજલિએ કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટનું સન્માન કરે છે.

જાહેરખબર ન પ્રસિદ્ધ કરવા કોર્ટની સૂચનાઃ પતંજલિનું કહેવું છે કે આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ માફી સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણીના એક દિવસ પહેલા આવી છે.તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણી ૨૩ એપ્રિલે કરશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે.

૨૧ એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને કહ્યું હતું કે હવે તેમના યોગ શિબિરો સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગયા છે. સ્વામી રામદેવના યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા ‘પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ’ને હવે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે.

હવે તેમની યોગ શિબિરો સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગઈ છે. સ્વામી રામદેવના યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા ‘પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ’ને હવે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે.

પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સ્વામી રામદેવના યોગ શિબિરો માટે પ્રવેશ ફી વસૂલે છે. જસ્ટિસ ઓક અને જસ્ટિસ ભુઈયાની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે સાચું કહ્યું છે. પ્રવેશ ફી વસૂલ્યા પછી, શિબિરોમાં યોગ એ સેવા છે.

અમને ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તેથી, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની અપીલ નકારી કાઢવામાં આવે છે. આ સાથે, કોર્ટે કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ની અલ્હાબાદ બેંચના ૫ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

હકીકતમાં, કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એ સ્વીકાર્યું હતું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરમાં ભાગ લેવા માટે કોઈપણ વ્યક્તિ પાસેથી ફી વસૂલવામાં આવે છે.

તેથી ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરો સર્વિસ ટેક્સના દાયરામાં આવવી જોઈએ. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ટ્રસ્ટ વિવિધ રહેણાંક અને બિન-રહેણાંક શિબિરોમાં યોગની તાલીમ આપવાનું કામ કરે છે.

આ માટે, સહભાગીઓ પાસેથી દાન સ્વરૂપે નાણાં એકત્ર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે ઉપરોક્ત સેવાઓ પ્રદાન કરવા માટે પ્રવેશ ફી છે.

કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, મેરઠ રેન્જે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને ઓક્ટોબર ૨૦૦૬ અને માર્ચ ૨૦૧૧ વચ્ચે આયોજિત આવા શિબિરો માટે દંડ અને વ્યાજ સહિત લગભગ ૪.૫ કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું. ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે એવી સેવાઓ પૂરી પાડી રહી છે જે રોગોની સારવાર માટે છે અને તે ‘હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસ’ શ્રેણી હેઠળ કરપાત્ર નથી. પરંતુ ટ્રિબ્યુનલે કહ્યું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના દાવા કે તે વ્યક્તિ દ્વારા પીડાતા ચોક્કસ રોગોની સારવાર પૂરી પાડે છે તે કોઈ સકારાત્મક પુરાવા દ્વારા સમર્થન નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.