Western Times News

Gujarati News

અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ મંડલ પર પ્રયાગરાજ સ્ટેશનના મુખ્ય ઉન્નતીકરણ કાર્ય માટે, પ્લેટફોર્મ નંબર 7 અને 8 બંધ રહેશે. પરિણામે, અમદાવાદ-દરભંગા અંત્યોદય સાપ્તાહિક એક્સપ્રેસ અને અમદાવાદ-પટણા સાપ્તાહિક એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનોને પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર 2 મિનિટનો અસ્થાયી વિરામ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ 

1. 3 મે થી 7 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) અમદાવાદથી તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસીને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-વારાણસી થઈને દોડશે.

2. મે થી 5 જૂન 2024 સુધી દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ (6 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે વારાણસી-પ્રયાગરાજ છિવકી-માણિકપુર ડાયવર્ટ કરેલા માર્ગ દ્વારા દોડશે.

3. 28 એપ્રિલથી 9 જૂન 2024 સુધી અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ માણિકપુર-પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-વારાણસી- પંડિત દીનદયાળ ઉપાધ્યાય ને બદલે માણિકપુર-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય થઈને દોડશે.

4. 30 એપ્રિલથી 11 જૂન 2024 સુધી પટનાથી ચાલનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ (7 ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-માણિકપુરને બદલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય-પ્રયાગરાજ છિવકી-માણિકપુર થઈને દોડશે.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.