Western Times News

Gujarati News

ગોધરામાં વાલ્મિકી સમાજ દ્વારા મા જગત જનનીના ૧૬મા પાટોત્સવની ઉજવણી કરાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના પાવર હાઉસમાં આવેલા વાલ્મિકીવાસ ખાતે આદ્યશક્તિ મા અંબાનું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મિકી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જગતજનની મા જગદંબાના ૧૬મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ગુજરાતી કલાકારના સથવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું.

જેમાં રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કુમારી કામિની સોલંકી, સિંધી સમાજના પ્રમુખ મુરલીભાઈ મુલચંદાની, દીપકભાઈ સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી. ગોધરા શહેરના વિવિધ સમાજના લોકોએ મહાઆરતીનો લાભ લીધો હતો.

ત્યાર બાદ વાલ્મિકી સમાજના અગ્રણી અને નગરપાલિકાના માજી પ્રમુખ રાજેશ ચૌહાણ દ્વારા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની સોલંકી અને પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. ૧૬મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતીમાં વાલ્મિકી સમાજની એકતા તથા અન્ય સમાજમાંથી મળેલો સાથ સહકાર અને પ્રતિસાદથી વાલ્મિકી વાસમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.