Western Times News

Gujarati News

કોંગ્રેસનો પંજો જનતાના પૈસા લૂંટતો હતોઃ PM મોદી

(એજન્સી)મુંબઈ, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે મોદી મહારાષ્ટ્રના માઢામાં જાહેર સભામાં સંબોધન કરતા કહ્યું- કોંગ્રેસે ૧૦ વર્ષમાં જેટલો ખર્ચ કર્યો તે આજે અમે એક વર્ષમાં ખર્ચ કરી રહ્યા છીએ.

૮૦ કરોડ દેશવાસીઓની પોતાની થાળી ભરેલી રહે છે. તેમનો ચૂલો સળગતો રહે છે. ૮૦ કરોડ લોકોને મફત ભોજન મળે છે. તમને આનો લાભ મળે છે. મોદીને વોટ આપીને તમે તેમને આ પુણ્યનું કામ કરવા મોકલ્યા છે.

જ્યારે દેશમાં મજબૂત સરકાર હોય છે. તો તેનું ધ્યાન વર્તમાનની સાથે ભવિષ્યની યોજનાઓ પર પણ છે. આ વિચારીને આજે ભાજપ સરકાર રેલ રોડ એરપોર્ટ પર અભૂતપૂર્વ ખર્ચ કરી રહી છે. કોંગ્રેસે ૧૦ વર્ષમાં જેટલો ખર્ચ કર્યો તે આજે અમે એક વર્ષમાં ખર્ચ કરી રહ્યા છીએ.

મહારાષ્ટ્રમાં માઢા બાદ મોદી બપોરે ૧ વાગ્યે મહારાષ્ટ્રના ધારશિવમાં રેલી કરશે. બપોરે ૨.૩૦ વાગ્યે લાતુરમાં પ્રચાર કરશે અને સાંજે ૪.૩૦ વાગ્યે તેલંગાણાના ઝહીરાબાદમાં જનતાને સંબોધશે.

ગઈકાલે પણ મોદીએ મહારાષ્ટ્રના સોલાપુર, સતારા અને પુણેમાં રેલીઓ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર એસસી-એસટીની અનામત ખતમ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષ અકળાઈ ગયું છે. એટલા માટે તે જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. બાબા સાહેબ પણ અનામતને હટાવી શકતા નથી. મોદી તો બહુ દૂરની વાત છે.

૧૦ વર્ષ પહેલા જ્યારે રિમોટ કંટ્રોલવાળી સરકાર ચાલતી હતી ત્યારે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા કૃષિ મંત્રી હતા. જ્યારે અહીંના શક્તિશાળી નેતાઓ દિલ્હી પર રાજ કરતા હતા ત્યારે શેરડીની એફઆરપી ૨૦૦ રૂપિયા હતી. અને આજે મોદીના કાર્યકાળમાં શેરડીની એફઆરપી ૩૫૦ રૂપિયાની આસપાસ છે.

આજે અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. રામ મંદિરના નિર્માણથી દરેક લોકો ખુશ છે. અંગ્રેજોના ગયા પછી પહેલા જ દિવસે રામ મંદિરનું કામ શરૂ થઈ જવું જોઈએ. કોંગ્રેસના વોટબેંકની રાજનીતિને કારણે તેને લટકાવી રખાયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.