Western Times News

Gujarati News

ભારતની જીત : હવે મેહુલ ચોકસીની નાગરિકતા જશે

એક અપરાધીને રક્ષણ આપી શકાય નહીં : એન્ટીગુઆના વડાપ્રધાનની
જાહેરાતથી મહેલ ચોકસી ભારે મુશ્કેલીમા

 

નવી દિલ્હી : ફરાર કારોબારી મેહુલ ચોકસી પર સકંજા વધારે મજબુત કરવામાં આવી રહ્યો છે. પ્રત્યાર્પણના સતત દબાણનો સામનો કરી રહેલા એન્ટીગુઆના વડાપ્રધાને હવે ચોકસીની નાગરિકતાને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે તે અપરાધીને કોઇ રીતે સંરક્ષણ આપી શકે નહીં. મેહુલની નાગરિકતા રદ કરવામા આવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે. પીએનબી કોંભાડના આરોપી મહેલુ ચોકસી પર ગંભીર પ્રકારના આરોપ છે.

ભારત ચોકસીને પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટે કટિબદ્ધ છે. થોડાક દિવસ પહેલા જ તપાસ સંસ્થાઓએ ચોક્સીને બિમાર હોવાના દાવા બાદ એર એમ્બુલન્સમાં લાવવા માટેની પણ ખાતરી આપી હતી. ચોકસીએ હાલમાં ભારત આવવાનો ઇન્કાર કર્યો હતો.

તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી હતી.પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે. મુંબઈ હાઈકોર્ટે સોમવારે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો હતો.

ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે. આ ટીમના રિપોર્ટને જાઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો.

હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ૧૦મી જુલાઈના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. નિષ્ણાંતોની ટીમ ૯મી જુલાઈના દિવસે રિપોર્ટ સુપ્રત કરશે. ફરાર કારોબારી આરોગ્યને રજુ કરીને મામલાની તપાસમાં ભાગ લેવા ઇન્કાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.