Western Times News

Gujarati News

મણિપુરમાં ૧૫ હજારથી વધુ ઘરો પર આફત…: સીએમ બિરેને

મણિપુર, મણિપુર સરકારે તાજેતરના અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો માટે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી રૂ. ૬.૯૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.

સોમવારે એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાન એન બિરેને જણાવ્યું હતું કે તાજેતરના અતિવૃષ્ટિને કારણે અત્યાર સુધીમાં ૧૫,૪૨૫ થી વધુ મકાનો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે રાહત માટે કુલ ૬.૧૯ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી ખીણના દરેક જિલ્લાને ૫૦-૫૦ લાખ રૂપિયા અને પહાડી જિલ્લાઓને ૪૦-૪૦ લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

બિરેને કહ્યું કે, કરા અને ચક્રવાતને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે અને કેટલાક ઘરોની છતમાં ખાડા પડી ગયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને આવશ્યક ચીજવસ્તુઓ આપવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ગઈકાલથી, તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરોએ  શીટ્‌સ જેવી સહાય પૂરી પાડવાના પગલાં શરૂ કર્યા છે.ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, થૌબલ અને ચુરાચનપુર જિલ્લામાં કરાથી નુકસાન થયું છે. ઇમ્ફાલ પશ્ચિમમાં ૬૫૩ મકાનોને નુકસાન; ઇમ્ફાલ પૂર્વમાં ૫૬૦૦ ઘરો; બિષ્ણુપુરમાં ૧૧૭૯ ઘરો; થોબલમાં ૮૦૦ અને ચુરાચંદપુરમાં ૫૦૦ ઘરોને નુકસાન થયું છે.

બિરેને કહ્યું, આ એક પ્રાથમિક સર્વે રિપોર્ટ છે, હજુ મૂલ્યાંકન ચાલુ છે. બિરેને જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને સંપૂર્ણ સર્વેક્ષણ કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે વિગતો શોધવાનો નિર્દેશ આપ્યો છે. જેમના ઘર બરબાદ થયા છે તેમના માટે ૪૨ રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે કહ્યું કે પશુધન, ખેતરો, શાકભાજી અને વાહનો માટે સર્વે ચાલુ છે, રાજ્ય સરકાર સહાય આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.