170 કરોડની બિનહિસાબી મિલકત-૮ કિલો સોનું મળી આવ્યું નાંદેડની કો-ઓપરેટિવ બેંકમાંથી
![31st July 2022 last day for Incometax filing](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/income-tax-2-1024x683.jpg)
નાંદેડમાં આઇટીની મોટી કાર્યવાહી,
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ભંડારી ફાયનાન્સ પર દરોડા પાડ્યા હતા.
આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે, જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની ગણતરીમાં ૧૪ કલાકનો સમય લાગ્યો હતો.આવકવેરા વિભાગની આ કાર્યવાહી ૭૨ કલાક સુધી ચાલુ રહી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે.
આ સિવાય ૮ કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે ૧૭૦ કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે, જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી ૧૪ કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ ૧૪ કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારીનો નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાસિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના સેંકડો આવકવેરા વિભાગના અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા.