Western Times News

Gujarati News

પૂર્વ ભારતીય કર્નલના મૃત્યુ પર પેલેસ્ટાઈનના પીએમનો મોદીને પત્ર

નવી દિલ્હી, પેલેસ્ટાઈનના વડા પ્રધાન મોહમ્મદ મુસ્તફાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકરને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ગયા અઠવાડિયે ગાઝામાં ભૂતપૂર્વ ભારતીય સૈન્ય અધિકારી કર્નલ વૈભવ અનિલ કાલેના મૃત્યુ માટે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ જવાબદાર છે. .

૧૬ મેના રોજ લખેલા પત્રમાં પીએમ મુસ્તફાએ ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાને ‘નરસંહારનું યુદ્ધ’ ગણાવ્યું હતું. તેમણે લખ્યું કે લોકોના જીવ બચાવવા અને રક્તપાત રોકવા માટે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે.

પીએમ મોદીને લખેલા પત્રમાં પેલેસ્ટાઈનના વડાપ્રધાન મુસ્તફાએ લખ્યું છે કે, ‘ઈઝરાયલી સેના દ્વારા ભારતીય ઓફિસર વૈભવ અનિલ કાલેની દુઃખદ હત્યા પર હું ઊંડી સંવેદના વ્યક્ત કરવા ઈચ્છું છું. કાલે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કર્મચારી તરીકે કામ કરતો હતો અને રફાહમાં તે યુએનની નિશાનીવાળા વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી.

આવા મુશ્કેલ સમયમાં મારી સંવેદના અને પ્રાર્થના મૃતકના પરિવાર, મિત્રો, સહકર્મીઓ અને સમગ્ર ભારત સાથે છે.કર્નલ કાલે બે વર્ષ પહેલા ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા અને છેલ્લા બે મહિનાથી ગાઝામાં યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટીમાં કામ કરી રહ્યા હતા. ૧૩ મેના રોજ, ગાઝામાં યુએનની નિશાની ધરાવતા તેમના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તે માર્યાે ગયો હતો.

કર્નલના મૃત્યુથી ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે આંતરરાષ્ટ્રીય ચિંતામાં વધારો થયો છે અને તાત્કાલિક યુદ્ધવિરામ અને સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણની માંગણી કરવામાં આવી રહી છે.

પેલેસ્ટાઈનના વડાપ્રધાને પણ પત્રમાં ભારત સહિત અન્ય હિતધારકો સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ પદ્ધતિઓ અપનાવવા વિનંતી કરી હતી.

તેમણે પત્રમાં લખ્યું, ‘ભારતીય અધિકારીનું મૃત્યુ અમને યાદ અપાવે છે કે જીવન બચાવવા અને પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ઈઝરાયેલના નરસંહાર, યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોને રોકવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે.’

તે જ સમયે, એસ જયશંકરને લખેલા પત્રમાં, પેલેસ્ટાઈનના વડા પ્રધાને કહ્યું કે ભારતે ઐતિહાસિક રીતે પેલેસ્ટાઈનના યોગ્ય અધિકારો માટે સમર્થન વ્યક્ત કર્યું છે, જેના માટે પેલેસ્ટાઈન ભારતનો આભારી છે.તેમણે કહ્યું, ‘પેલેસ્ટિનિયનોના અધિકારો અને ગૌરવને જાળવી રાખવા માટે તમે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પ્રદેશમાં ન્યાય અને શાંતિ માટેના અમારા ચાલી રહેલા સંઘર્ષમાં આશાનું કિરણ છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.