Western Times News

Gujarati News

સરકાર બનાવવા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ કિંગમેકર સાબિત થઈ શકે છે!

File Photo

TDP પાર્ટીએ જાહેર કર્યું છે કે નાયડુ 9 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.- બિહારના જીતનરામ માંઝી સાથે અમિત શાહે ફોન પર વાતચીત કરી

  • નીતિશ કુમાર સાથે શરદ પવારે પણ કરી ટેલિફોનિક ચર્ચા, JDU હવે NDA અને I.N.D.I.A. માટે મહત્ત્વપૂર્ણ

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટી 16 લોકસભા અને 130 વિધાનસભા બેઠકો પર આગળ રહીને આંધ્ર પ્રદેશમાં પરિવર્તન જોવા મળ્યું છે. તેમની તેલુગુ દેશમ પાર્ટી (TDP) 2024ની આંધ્ર પ્રદેશની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બંનેમાં આગળ વધી છે.

TDPના ચંદ્રાબાબુ નાયડુ AP રાજ્યના સીએમ બનવા જઈ રહ્યા છે તો તેમની કેન્દ્ર સરકારમાં પણ દખલગીરી થશે. અગાઉ પણ ચંદ્રાબાબુ અને નિતીષકુમાર બંને નેતાઓ કિંગમેકર રહી ચૂક્યા છે અને અટલ બિહારી વાજપેયી યુગમાં સરકારનો ભાગ હતા. આ રીતે, નાયડુ અને નીતિશ કુમાર માટે ફરી એકવાર જૂનો તબક્કો પાછો ફર્યો છે.  ચંદ્રાબાબુ  નાયડુ માટે આ એક મોટી સફળતા છે, કારણ કે તેઓ માત્ર 17 બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને 16 પર આગળ છે.

જો ભાજપને TDPને 16 અને JDUને 14 બેઠક મળે છે તો અંદાજે 245 બેઠક ધરાવતી BJP પાર્ટી 275ના દાવા સાથે સરકાર બનાવી શકશે. આ સિવાય એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના પણ 7 સીટો જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં 280થી વધુનો આંકડો સરળતાથી સરકાર બનાવી શકશે.

ચંદ્રાબાબુ નાયડુની TDP NDAમાં ભાજપનો સાથી છે, તેથી જો ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળે તો તે ઈચ્છે છે કે તેના ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે રહે, કારણ કે મતગણતરીનાં પ્રારંભિક રાઉન્ડમાં ભાજપને એકલા હાથે બહુમતી મળે એમ લાગતું નથી. જો TDP વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’માં જોડાય છે તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની શકે છે.

લોકસભા 2024નું ઈલેક્શન જાહેર થાય તે પહેલાં આશ્ચર્યજનક રીતે નાયડુએ પોતાને કોંગ્રેસથી દૂર કરી દીધા અને માર્ચ 2024 માં રાષ્ટ્રીય ચૂંટણીઓની જાહેરાતના થોડા દિવસો પહેલા જ NDAમાં ફરી જોડાયા. NDAમાં તેમનું પુનરાગમન એક વ્યૂહાત્મક ચાલ તરીકે ચિહ્નિત થયું.

આંધ્રના લોકોએ નિર્ણય કર્યો છે, લોકોને સમજાયું છે કે તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં શું ગુમાવ્યું છે. ચંદ્રાબાબુએ જણાવ્યું કે,  હવે હું પ્રતિસાદ જોઈ રહ્યો છું. આ મારી 10મી ચૂંટણી છે.  આજે, અસાધારણ પ્રતિસાદ છે. દરેક વર્ગનો લોકો નારાજ છે, તેઓ રાજ્યની સુરક્ષા કરવા માંગે છે, આ આંધ્રપ્રદેશના પાંચ કરોડ લોકોની ચૂંટણી છે, તેમના ભવિષ્ય અને તેમના બાળકોના ભવિષ્યની છે,”

જેમ જેમ TDP આગળ ચાલી રહી છે, પાર્ટીએ જાહેર કર્યું છે કે શ્રી નાયડુ 9 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચૂંટણી પંચના તાજેતરના આંકડા દર્શાવે છે કે ટીડીપી 130, જનસેના 20 અને ભાજપ સાત વિધાનસભા બેઠકો પર આગળ છે.

અહેવાલો પ્રમાણે સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નજીકના ગણાતા કોંગી નેતા કે.સી. વેણુગોપાલ NDAના સાથી પક્ષના નેતાઓના સંપર્કમાં છે. આ નેતાઓમાં JDUના નીતિશ કુમાર (Nitish Kumar) અને TDPના એન.ચંદ્રાબાબુ નાયડુ (N. Chandrababu Naidu) પણ સામેલ છે. એવું કહેવાય છે કે, ટીડીપીને I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કરવા વેણુગોપાલે ચંદ્રાબાબુના પુત્ર લોકેશ નાયડુ સાથે પણ વાત કરી છે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી NDAના ઉમેદવાર 79 વર્ષના જીતન રામ માંઝી ગયા સંસદીય મતવિસ્તારમાંથી સતત આગળ ચાલી રહ્યા છે. તેમની પ્રગતિ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગયાના વિકાસ માટે તેમના મનમાં શરૂઆતથી જ ઘણી યોજનાઓ હતી. ગયાના ગાંધી મેદાનને બ્યુટિફિકેશન કરીને સુંદર પાર્ક બનાવવામાં આવશે. તેઓ બોધગયાને આગ્રાની જેમ વર્લ્ડ હેરિટેજ અનુસાર વિકસાવીને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.