Western Times News

Gujarati News

પેશાબ કરવામાં ખૂબ પીડા થાય છે-જોર પડે છે તો અજમાવો આ ઈલાજ

શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને ચહેરા પર ઉપસી આવે છે.

ઘણા લોકોને હમેશા જ પથરી સ્ટોન ની સમસ્યા સામાન્ય રહે છે. વારંવાર ઓપરેશન કરાવ્યા પછી તેમને આ સમસ્યા પાછી થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે તેનું શરીર ભોજન દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કૈલ્શિયમ ને પચાવી શકતુ નથી અને કિડની પણ શરીરની ગંદગી ને સફાઈ કરતા સમયે તેને સાફ કરવામાં અસક્ષમ થઇ જાય છે અને ત્યાં થી જ આ આપણા મૂત્રાશય ને પણ પ્રભાવિત કરે છે.

લક્ષણઃ ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય.

ShriramVaidya-logo
Mo. 9825009241

પેશાબની નળીઓમાં કે અવયવોમા ચેપનાં કારણે દુખાવો અને સખત બળતરાં થાય. કિડનીનાં રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર પેશાબની પ્રક્રિયામાં ફેરફારો.. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય. સોજો કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે

અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને ચહેરા પર ઉપસી આવે છે. પેશાબમાં લોહીઆ કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે  નિષ્ણાંતની મુલાકાત લેવી સલાહભર્યું છે.

ઉબકા અને ઊલ્ટીઃ કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

હાંફ ચઢવીઃકિડની રોગમાં ફેફસાંમાં એક પ્રકારનું સ્ત્રાવ પેદા થાય છે સતત નબળાઇ ભારે થાક આપણી કિડનીની લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.

ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલીઃકિડનીનાં રોગમાં લોહીનો અપુરતો પુરવઠો થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે. આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવીઃજો તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય. પાયલોનફ્રીટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે..

અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. ત્વચા પર ખંજવાળ અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે. શ્વાસમાં દુર્ગન્ધ અને જીભમાં અપ્રિય સ્વાદ કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામા થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે.

ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે. પીઠ અથવા પડખામાં પીડા કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે) જે  આજ સમસ્યાઓ માંથી એક સમસ્યા, જેના પીડિતોની સંખ્યા સતત વધી રહી છે, તે છે કિડનીમાં પથરી આયુર્વેદિક અને ઘરેલુ ચિકિત્સામાં કિડનીની પથરીમાં કળથી ને ફાયદાકારક માનવામાં આવે છે કળથી પ્રાકૃતિક પથરી નાશક છે, કિડની થી જોડાયેલ ઘણી સમસ્યાઓ છે, એટલે કિડનીમાં દુખાવો, મૂત્રમાં બળતરા અથવા મૂત્ર વધારે કે ઓછું આવવું..

જેને ગુજરાતી માં કળથી કહે છે જે એકજાત નું કઠોળ છે. ગુણોની દ્રષ્ટિએ કળથી પથરી અને શર્કરાનાશક છે. વાત અને કફ નું શમન કરે છે અને શરીરમાં તેનું સંચય રોકે છે. કળથી માં પથરી નું ભેદન અને મૂત્રલ બંને ગુણ હોવાથી આ પથરી બનવાની પ્રવૃત્તિ અને પુનરાવૃત રોકે છે. આનાથી વધારે આ યકૃત અને પલીહા ના દોષમાં લાભકારક છે. મોટાપો દૂર થાય છે.૨૫૦ ગ્રામ કળથી ૧૦૦ ગ્રામ જવ કાંકરા કાઢીને સાફ કરી લો.

રાત્રે ત્રણ લીટર પાણીમાં પલાળી દો ચાર કલાક પલાળો. સવારે પલાળેલ કળથી તે પાણી સહિત ધીમા ગેસ ઉપર જયારે એક લીટર પાણી રહી જાય ત્યારે નીચે ઉતારી લો.પથરીનાશક ઔષધિ તૈયાર થઇ ગયી છે. તમે દિવસના ઓછામાં ઓછું એક વાર બોપોરના ભોજનની જગ્યાએ આ બનાવેલ સૂપ પી જવો. ૨૫૦ ગ્રામ પાણી અવશ્ય પીવું.એક બે અઠવાડિયામાં કિડની અને

મૂત્રાશય ની પથરી ઓગળીને વગર ઓપરેશન થી બહાર આવી જાય છે. સતત સેવન કરતા રહેવું રાહત આપે છે. જો ભોજન વગર કોઈ વ્યક્તિ રહી શકે નહિ તો સૂપની સાથે એકાદ રોટલી લેવામાં કોઈ હાનિ નથી. કમરમાં દુખાવા માટે પણ રામબાણ દવા છે. કળથી ના દાણ સામાન્ય દાણાની જેમ બનાવીને રોટલીના સાથે પ્રતિદિવસ ખાવાથી પથરી પેશાબ ના રસ્તે ટુકડા ટુકડા થઈને નીકળે છે.

આ દાણ મજ્જા (હાડકાના અંદરની ચીકણાઈ) વધારવા વાળી છે. કિડનીમાં સુજનની સ્થિતિમાં જેટલું પાણી પી શકો તેટલું પીવો, પીવાથી દસ દિવસમાં કિડની નો પ્રવાહ સારો થઇ જાય છે. મહિના ભર આવી રીતે પાણી પીવાથી કિડની અને મૂત્રશાય ની પથરી ધિરે-ધીરે ઓગળીને નીકળી જાય છે.

પથરી માં આ ખાવો, કાકડી, તરબૂચ ના બીજ, ચૌલાઈ નું શાક, મૂળો, આંબળા, અનાનસ,  જવ, મગની દાણ, ગોખરુ વગેરે ખાવો. કળથી ના સેવનની સાથે દિવસમાં ૬ થી ૮ ગ્લાસ સાદું પાણી પીવો, ખાસકરીને કિડની ની બીમારીઓ માં ખુબ હિતકારક સિદ્ધ થાય છે.આ ન ખાવોઃ પાલક, ટામેટા, રીંગણ, ચોખા, અળદ, ચીકણો પદાર્થ, સૂકો માવો, ચા, દારૂ, માંસ વગેરે. મુત્રને રોકવું ના જોઈએ.

સતત એક કલાક થી વધારે એક આસન પર બેસવુ નહિ.કળથી નું પાણી પણ ફાયદાકા રકછે, કળથી નું પાણી વિધિવત લેવાથી કીડની અને મુત્રશય ની પથરી નીકળી જાય છે અને નવી પથરી બનવું રોકાઈ જાય છે. પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો. ઉપાયજો પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.

લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે. કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા અક્સિર ઇલાજ છે. કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે.

ઊંટડીનું દૂધ, ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન, કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરુદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે. જવનો ઉપાયઃ,એક મુઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા.

ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી  સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે.

કળથીનો ઉપાયઃ-રાત્રે એક લિટર કળથી પાણીમાં પલાળી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. ૧ લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો. પછી ૪૦ અને૫૦ ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધાલૂણ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર.

તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. જો મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જોઈએ.દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.એક મૂળાને કાપા પાડીને તેમાં ૨૦-૨૦ ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો.

સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે. જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે. અનુભવથી સિદ્ધ થયેલા ઉપચારોથી  પથરીમાં દર્દીને  સારા પરિણામ મળે છે

જેવા કે અશ્મરીહર ક્વાથ, અશ્મરીહર ટીકડી, પથરીતોડ યોગ, જેનું આયોજન  વૈદ્ય ચિકિત્સકની  દેખ રેખ હેટળ કરવો જરૂરી છે, અહીંયા પથરી પર પ્રભાવી આ ટિકડી અષમભેદ, ગોકશૂરક, પુનર્નવા, વરૂણ, કળથી આરોગ્યવધ, ધમાસો, હરડે આ પથરી ઉપર  તો પ્રભાવિત નીકળી  અસ્મા ભેદ ગોક્ષુર, પુનર્નવા, વરૂણ, કળથી આરોગ્યવર્ધિની.

આરોગ્યવર્ધિની ધમાસો હરડે આ ૮ દ્રવ્ય,શીલાજીત  એલા તથા પૂરક દ્રવ્ય ગુણધર્મ શોથહર મૂત્રલ જંતુઘ્‌ન પિત્તશામક આ ટિકડી ના દ્રવ્યોનું સપ્રમાણ મિશ્રણ પથરી તથા મૂત્ર સંસ્થાનના રોગોમાં સવિશેષ ઉપયોગી છે. અશ્મભેદ ગોખરું, મજીઠ અને કળથીનો મુખ્ય ગુણ પથરીને ઓગાળવાનો છે. જેથી ત્યાંના રજકણોમાંથી પથરીનો ઉદભવ થતાં રોકે છે અને હોય તેનું પ્રવાહિકરણ કરે છે

જ્યારે પુનર્નવાનો શોથહર અને મૂત્રલ ગુણ ભેદાયેલી પથરીના રજકણોને બહાર ફેંકી દે છે તથા શોથજનક ઉત્તેજનાને કારણે થતી પીડા, દાહ,  બળતરા અને પેશાબમાં આવતા લોહી અને પરુના સ્ત્રાવને મટાડે છે. ધમાસો, હરડે જેવા દ્રવ્યો પેશાબની અમ્લતાને દૂર કરે છે અને પેશાબ સાફ લાવી મૂત્રોત્સર્ગ વધારે છે જેથી તેના દ્વારા થતું શોધનકાર્ય ક્ષારોનું પથરીમાં થતું રૂપાંતર અટકાવે છે

આમ આ ટિકડીથી સર્જાતા મૂત્રગત રોગને થતા જ અટકાવી દે છે. પથરી ને તોડી ફોડીને ઓગાળવા માટે સફળ ઔષધ તરીકે વૈદકમાં પ્રખ્યાત છે સાથે શીલાજીત નો ઉપયોગ વૃકકને બળવત્તર બનાવે છે. વૃકક અને મુત્રાશયના અવયવોની કાર્યક્ષમતા વધારે છે. મૂત્રસંસ્થાનના અન્ય રોગો પથરી ના કારણે થતા અટકે છે આના સેવન થી નવી નાની સર્જાતી પથરી સત્વરે સરી જાય છે.

મૂત્રમાર્ગના રોગો પરનું શોથઘ્‌ન અને પીડાશામક ગુણો ધરાવતું આ શ્રેષ્ઠ દ્રવ્ય છે અને અનુભવે અકસીર માલૂમ પડયું છે મજીત આૅક્સલેટની  રજકણોથી બંધાતી પથરી ઓગાળવા માટે પ્રભાવી જણાયું છે. પેશાબના અન્ય દર્દો મૂત્રાઘાત, મૂત્રકૃચ્છ અને પૂયમેહ તથા અષ્ટલા પુરુષ ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્લેન્ડ ના વિકારને કારણે થતા મૂત્રાવરોધમા આ ટિકડીનું સેવન લાભપ્રદ છે.

માત્રાઃ બે ટીકડી ત્રણથી ચાર વખત કળથી કે સાદા પાણી સાથે અથવા ચિકિત્સકની સૂચના અનુસાર લેવી. નોંધઃ પથરી તેમજ મૂત્રાશયના રોગીઓએ કટિસ્નાન લેવો જોઈએ નિત્ય શેક કરવો પણ લાભપ્રદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.