Western Times News

Gujarati News

અમદાવાદઃ ડેન્ગ્યુના ૨૮ દિનમાં ૩૦૨ કેસ નોંધાયા

કમળાના ૨૮ દિનમાં ૨૨૧, ઝેરી મેલેરિયાના ૨૧ કેસો
અમદાવાદ,  ડિસેમ્બર માસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો હજુ પણ સપાટી ઉપર આવી રહ્યા છે. ૨૮ દિવસમાં જ ડેંગ્યુના ૩૦૨ કેસો નોંધાઈ ચુક્યા છે જે ચિંતાની બાબત દેખાઈ રહી છે. તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ડેંગ્યુના કેસો પણ વધી રહ્યા છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ડેંગ્યુના શ્રેણીબદ્ધ કેસો નોંધાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ ડેંગ્યુના ૨૮ દિવસમાં જ ૩૦૨ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જ્યારે ચિકનગુનિયાના પણ ૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે.

આવી જ રીતે ૨૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૩૮૨ કેસ નોંધાઈ ચુક્યા છે. ટાઇફોઇડના ૨૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો ગયા મહિનામાં માત્ર નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો છે અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો.

ઝાડા ઉલ્ટીના નવેમ્બર સુધી ૪૬૮ કેસો નોંધાયા હતા આવી જ રીતે ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૧૨૪૧૯૮ લોહીના નમૂનાની સામે ૨૮મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૮૯૬૯૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન લેવામાં આવેલા ૨૧૦૪ સિરમ સેમ્પલની સામે ૨૮મી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૨૫૧૪ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.

કમળાના ૨૮ દિવસના ગાળામાં ૨૨૧, ટાઇફોઇડના ૨૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૨૪૪૯ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.