Western Times News

Gujarati News

IIT બોમ્બેએ વિદ્યાર્થી પર લગાવ્યો ૧.૨ લાખનો દંડ

નવી દિલ્હી, આઈઆઈટી બોમ્બેએ કથિત રીતે રામાયણ પર વાંધાજનક નાટક રજૂ કરવા બદલ વિદ્યાર્થીઓ પર ભારે દંડ ફટકાર્યાે છે. આ નાટક ૩૧ માર્ચના રોજ આઈઆઈટી બોમ્બેના વાર્ષિક આર્ટ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવ્યું હતું. આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓએ ‘રાહોવન’ નામના નાટકમાં ભાગ લીધો હતો.

આ ડ્રામા અંગે કેટલીક ફરિયાદો મળી હતી. આરોપ છે કે વિદ્યાર્થીઓએ નાટકમાં રામ અને સીતાના પાત્રોને વાંધાજનક રીતે દર્શાવ્યા હતા. જોકે, નાટકને ટેકો આપતા વિદ્યાર્થીઓ કહે છે કે આ નાટક પ્રગતિશીલ હતું, જેની સૌએ પ્રશંસા કરી હતી.આ નાટકને લઈને થયેલી ફરિયાદોમાં કહેવાયું છે કે આનાથી આપણી સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

આ ફરિયાદો બાદ શિસ્ત સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જે વિદ્યાર્થીઓ સામે ફરિયાદો કરવામાં આવી છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ઘણી વિચાર-વિમર્શ પછી, સમિતિએ કડક પગલાં લેવાનું નક્કી કર્યું.

આ અંતર્ગત સિનિયર વિદ્યાર્થીઓ પર ૧.૨-૧.૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જુનિયર વિદ્યાર્થીઓ પર ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ હોસ્ટેલની સુવિધાથી પણ વંચિત હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં સાત વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.