Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના પૂણેમાં પાણીના ટેન્કરમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર

પુણે, મહારાષ્ટ્રના પુણેમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં ફરસુંગી વિસ્તારમાં પાણીના ટેન્કરમાં પડેલી મહિલાની લાશ મળી આવી હતી.

આ ઘટના પ્રકાશમાં આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ટેન્કરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો, કસ્ટડીમાં લીધો, પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને કેસની તપાસ શરૂ કરી. મૃતકની ઓળખ કૌશલ્યા મુકેશ ચવ્હાણ તરીકે થઈ છે.

ફરસુંગી પાવર હાઉસ વિસ્તારમાં સવારે પાણીનું ટેન્કર આવ્યું હતું. સ્થાનિક લોકોએ ટેન્કરોથી પાણી ભરવાનું શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી પાણી બંધ થઈ ગયું. ટેન્કર ચાલકે નીચે ઉતરીને જોયું તો સાડી ફસાઈ ગઈ હતી, જેના કારણે પાણી વહેતું બંધ થઈ ગયું હતું.

સાડી ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ અમે ટેન્કર પર ચઢીને જોયું તો અંદર મહિલાની લાશ પડી હતી. આ જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.પોલીસ ઈન્સ્પેક્ટર માનસિંહ પાટીલે જણાવ્યું કે મૃતક તેના પતિ અને બે બાળકો સાથે અંદ્રી વિસ્તારમાં રહે છે.

આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને એક મહિના પહેલા જ પુણે આવ્યો હતો. મહિલાનો પતિ ફ્લોર ઈન્સ્ટોલરનું કામ કરે છે. જેથી તે સામેના મકાનમાં કામ કરવા જાય છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાને કોઈ માનસિક બીમારી હતી.

ગામના ડોકટરો અને પૂજારીઓ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. ગુરુવારે સવારે તેણી કામ અર્થે સામેની બિલ્ડીંગમાં ગઈ હતી અને ત્યાં ટેન્કર ઉભું હતું. મહિલાએ તેમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન ન હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.