Western Times News

Gujarati News

રશિયાના દાગેસ્તાનમાં આતંકી હુમલો, પાદરી અને પોલીસકર્મીઓ સહિત ૯ના મોત

નવી દિલ્હી, રશિયન સત્તાવાળાઓએ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં સ્થિત છે, જે મુસ્લિમ ઉત્તર કાકેશસ પ્રદેશમાં પ્રાચીન યહૂદી સમુદાયનું કેન્દ્ર છે. પોલીસ ચોકી પર હુમલો લગભગ ૧૨૫ કિલોમીટર દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં થયો હતો.

રશિયાના ઉત્તર કાકેશસ પ્રદેશના દાગેસ્તાનમાં રવિવારે આતંકવાદીઓએ એક સિનેગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ હુમલાઓમાં છ પોલીસ અધિકારીઓ અને એક પાદરી સહિત ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૨૫ ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી છે.રશિયન સત્તાવાળાઓએ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે.

સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં સ્થિત છે, જે મુસ્લિમ ઉત્તર કાકેશસ પ્રદેશમાં પ્રાચીન યહૂદી સમુદાયનું કેન્દ્ર છે. પોલીસ ચોકી પર હુમલો લગભગ ૧૨૫ કિલોમીટર દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં થયો હતો.રશિયન ગૃહ મંત્રાલયે કહ્યું કે, ‘કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગ અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યાે હતો.’ ચર્ચમાં માર્યા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતો.

સીએનએનએ દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ શામિલ ખાદુલેવને ટાંકીને કહ્યું, ‘મને મળેલી માહિતી અનુસાર, પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરવામાં આવી હતી. તેઓએ તેનું ગળું કાપી નાખ્યું. તેઓ ૬૬ વર્ષના હતા અને ખૂબ જ બીમાર હતા.

સમાચાર એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કાકેશસમાં યહૂદી સમુદાયના એક પ્રાચીન સિનાગોગમાં હુમલા બાદ આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ છે.રશિયા ટુડેના જણાવ્યા અનુસાર હુમલા બાદ શંકાસ્પદ લોકો વાહનમાં બેસીને ભાગી ગયા હતા અને પોલીસ હાલમાં તેમને શોધી રહી છે.

કેટલાક અહેવાલો અનુસાર હુમલાખોરો પર ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.દાગેસ્તાન પ્રજાસત્તાકના વડા, સર્ગેઈ મેલિકોવ, એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ‘કેટલાક અજાણ્યા લોકોએ સામાજિક પરિસ્થિતિને બગાડવાનો પ્રયાસ કર્યાે હતો.’ દાગેસ્તાન પોલીસ અધિકારીઓએ તેમનો રસ્તો રોક્યો. પ્રારંભિક માહિતી અનુસાર, તેમાંથી કેટલાક પીડિતો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.