Western Times News

Gujarati News

શાહરૂખના ગીતમાં એવોર્ડ બાદ ગાયક અભિજીતનું અપમાન થયું

મુંબઈ, અભિજીત ભટ્ટાચાર્ય ૯૦ના દાયકાના એક જાણીતા ગાયક છે. તાજેતરમાં તેમણે આપેલો એક ઇન્ટરવ્યૂ ચર્ચામાં છે, જેમાં તેણે પોતાને સહન કરવા પડેલાં અપમાન અને અન્યાયની વાત કરી હતી.

અભિજિતે જણાવ્યું કે તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘યસ બોસ’માં એક ગીત ગાયું હોવાથી એ વખતે સંગીતકારોએ તેને ગીત આપવાનું બંધ કરી દીધું હતું અને તેનું અપમાન કર્યું હતું.

અભિજિતે કહ્યું કે તેને ‘યસ બોસ’ના ગીત માટે એવોર્ડ મળ્યો અને કેટલાંક સંગીતકારોએ ઇરાદાપૂર્વક કહ્યું કે, તેઓ મને ગાયક ગણતાં નથી અને ગાવા માટે યોગ્ય નથી માનતા. અભિજીતે એ ટીકાથી અપમાનિત થવાની સાથે તેને એક પ્રેરણા તરીકે પણ લીધું હતું.

અભિજિતે કહ્યું,“મારી સાથે ઘણું બન્યું છે, એવું થતું કે મ્યુઝિક ડિરેક્ટરને જેવી ખબર પડતી કે મને શાહરૂખ ખાનની ફિલ્મ મળી ગઈ.એ મારાથી ગમે તેટલો નજીક હોય તો પણ એવું લાગતું હતું કે જાણે તેનો ઇરાદો જ હોય કે અભિજિતને ગવડાવીશ નહીં.”

આગળ અભિજિતે કહ્યું,“જ્યારથી મને એવોર્ડ મળ્યો અને ‘યસ બોસ’કોઈ બ્લોક બસ્ટર ફિલ્મ નહોતી, ગીત પણ બ્લોક બસ્ટર નહોતું. પરંતુ એ વખતે બધા બ્લોક બસ્ટર વચ્ચે એક નોન બ્લોક બસ્ટર ગીત હતું. બોર્ડર, પરદેસ, દિલ તો પાગલ હૈ, એની વચ્ચે મને એવોર્ડ મળી ગયો. એટલે ઘણા સંગીતકારોને એવું લાગ્યું કે મને જાણી જોઈને કહેતાં કે તારી પાસે તો ગીત નહીં જ ગવડાવીએ.”

૧૯૯૭માં અઝિઝ મિર્ઝાએ ડિરેક્ટ કરેલી અને શાહરૂખ ખાન અને જૂહી ચાવલા લીડ રોલમાં હતાં એવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘યસ બોસ’માં અભિજિતે છમાંથી ચાર ગીતો ગાયાં હતાં. જેમાં ‘મેં કોઈ ઐસા ગીત ગાંઉં’, ‘ચાંદ તારે’, ‘સુનિયે તો’, ‘જાતા હૈ તું કહાં’ આ ચાર ગીતો અભિજિતે ગાયાં હતાં. અભિજિતને ‘મેં કોઈ ઐસા ગીત ગાઉં’ મે એવોર્ડ મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.