Western Times News

Gujarati News

“અમદાવાદ રથયાત્રા – અ જર્ની ઓફ મિરેકલ” પુસ્તકનું વિમોચન

આ કાર્યક્રમ દરમિયાન ગોસ્વામી હવેલી-અસારવા બેઠકના ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી મહોદય (શ્રી તિલક બાવા)શ્રી જગન્નાથ મંદિર-અમદાવાદના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા તેમજ શ્રી ગીતિકા સેહગલ સહિત વિવિધ મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નિવૃત્ત IPS અધિકારી શ્રી સંજય શ્રીવાસ્તવ લિખિત પુસ્તકનું  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું

Ø  આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસત અંગે ગૌરવ લઈ શકે તેવા ઉદાહરણો આ પુસ્તકમાંથી મળશે

Ø  અમદાવાદમાં વર્ષોથી સૌના સહિયારા પ્રયાસથી યોજાતી રથયાત્રા ચમત્કારથી કમ નથી.

Ø  સાંસ્કૃતિક વિરાસત વિનાનો વિકાસ નિરર્થક છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “અમદાવાદ રથયાત્રા – અ જર્ની ઓફ મિરેકલ” પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કર્યું હતું. નિવૃત્ત IPS અધિકારી અને અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવશ્રી કમલેશ આયાર્ય અને સુશ્રી રેખા શ્રીવાસ્તવ દ્વારા સહલિખિત આ પુસ્તકનું વિમોચન ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને જગન્નાથ મંદિરના મહંતશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કેઆવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાંથી મળી રહેવાના છે. તેમજ આ પુસ્તક આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજવાનો નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલવાની વાત કરી છે. આપણે ગમે તેટલો વિકાસ કરીએપરંતુ સંસ્કૃતિ-વિરાસત વિનાનો વિકાસ નિરર્થક છે. માટે જ તેમણે ‘વિરાસત ભી વિકાસ ભી’નો મંત્ર આપણને આપ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષોથી રથયાત્રા સૌના સહિયારા પ્રયાસોથી નિર્વિઘ્ને યોજાય છે એ કોઈ ચમત્કારથી કમ નથી. સહિયારા પ્રયાસ અને મેનેજમેન્ટના ઉત્તમ ઉદાહરણ સમાન આ રથયાત્રાથી પ્રભુ જનગન્નાથ પ્રત્યેની આસ્થા નવી પેઢીમાં વધુ દૃઢ થાય તેવા અનેક ઉદાહરણોથી આ પુસ્તક અવગત કરાવશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પુસ્તકના પ્રસંગો અને ચમત્કારોને તેમણે જગતનું સંચાલન કરતી ઇશ્વરીય શક્તિ ઉપર શ્રદ્ધા-આસ્થાને બળવત્તર બનાવનારા ગણાવ્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેદર વર્ષે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નાગરિકોના આસ્થાનું અને વ્યવસ્થાનું કેન્દ્ર છે. આ પુસ્તક રથયાત્રાની આસ્થા અને વ્યવસ્થા દર્શાવતી એક પ્રેરણાદાયી પુસ્તક છે. અમદાવાદ રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ નાગરિકો ભગવાન જગન્નાથજીના દર્શનનો લ્હાવો લેવા આવે છેએ લોકોની આસ્થા છે. પરંતુ આવા સમયે કાયદા સુરક્ષાશાંતિસલામતી અને કાયદા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર ખડેપગે રહે છેએ રાજ્ય સરકારની વ્યવસ્થા છે.

તેમણે અમદાવાદ રથયાત્રા પુસ્તકના એક અધ્યાય અંગે વાત કરતા કહ્યું હતું કેપુસ્તકમાં લખાયેલી અને રથયાત્રા સાથે જોડાયેલી વસંત-રજબની વાર્તા સાચા અર્થમાં માનવીય ધર્મનું પ્રતિક છે. રથયાત્રામાં દરેક સમાજનું યોગદાન વધેશહેરમાં શાંતિ-સલામતીના વાતાવરણનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે સોશીયલ પોલીસિંગના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે પુસ્તક માટે લેખકોને અભિનંદન પણ પાઠવ્યાં હતા.

શ્રી જગન્નાથ મંદિર-અમદાવાદના મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી ગુરુ રામેશ્વરદાસજીએ પ્રાસંગિક ઉદબોધન કરી લેખકોને અભિનંદન પાઠવ્યા હતા.

પુસ્તકના લેખક શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા સૌનું સ્વાગત કરતા પુસ્તકની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતીશ્રી કમલેશ આચાર્ય દ્વારા પુસ્તકના કેટલાક અંશ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાજ્યારે શ્રીમતી રેખા શ્રીવાસ્તવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.