Western Times News

Gujarati News

ઋષિ કપૂરે લગ્ન પછી પણ નીતુ કપૂર સાથે કરી હતી છેતરપિંડી

મુંબઈ, બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર આજે તેનો ૬૬મો જન્મદિવસ ઉજવી રહી છે. નીતુ કપૂરે હંમેશા પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીત્યું છે. આ કારણે આજે પણ તે તેના ચાહકોમાં લોકપ્રિય છે.

નીતુ કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. નીતુ કપૂર અને ઋષિ કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નહોતી. ઋષિ કપૂરના આ દુનિયામાંથી ગયા પછી પણ અભિનેત્રી તેમને યાદ કરતી રહે છે.

નીતુ કપૂર ઘણીવાર ઋષિ કપૂર સાથેના તેના બોન્ડ વિશે વાત કરતી જોવા મળે છે. એકવાર નીતુ કપૂરે ઋષિ કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે વાત કરી હતી. તેણે તેમના અફેરને પણ યોગ્ય ઠેરવ્યું હતું. ઋષિ કપૂર લગ્ન પછી પણ અફેર હતા. તેને લાગ્યું કે નીતુ કપૂર તેના અફેર વિશે નથી જાણતી પરંતુ અભિનેત્રી બધુ જ જાણતી હતી. તેણે આ અંગે ઋષિ કપૂર સાથે પણ વાત કરી હતી.

એટલું જ નહીં, તેણે તેમનાથી અંતર પણ જાળવી રાખ્યું હતું. જો રિપોટ્‌ર્સનું માનીએ તો નીતુ કપૂરે તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરને વન નાઈટ સ્ટેન્ડ ગણાવ્યું હતું. ઘણી વખત નીતુ અને ઋષિ તેમના અફેરને લઈને લડતા હતા. પરંતુ પાછળથી તેણે ઋષિ કપૂરના કાર્યાેથી પરેશાન થવાનું બંધ કરી દીધું.

તેણે તેના પતિ ઋષિ કપૂરની અવગણના કરી અને તેનાથી દૂર રહેવા લાગી. ઋષિ કપૂરના સંબંધો વિશે નીતુ કપૂરે એકવાર કહ્યું હતું – મને વિશ્વાસ હતો કે ઋષિ મારા વિના રહી શકશે નહીં.

ઋષિ કપૂર નીતુ કપૂર સાથેના સંબંધોને ગમે તેટલું છુપાવતા હતા પરંતુ તેમને તેની ખબર પડી હતી. નીતુએ જણાવ્યું હતું કે ઋષિ કપૂરના મિત્રો પોતે આવીને તેને અફેર વિશે જણાવતા હતા પરતું નીતુ કપૂરે જણાવ્યું કે મને વિશ્વાસ હતો કે ઋષિ મારા વિના રહી શકશે નહીં.આજ કારણથી તેને તેના પર કોઈ પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.