Western Times News

Gujarati News

જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો મુખ્યમંત્રીએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે તેમના જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો.
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી.
ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નીરુમાની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.