Western Times News

Gujarati News

અંબોડના મિનિ પાવાગઢ મહાકાલી માતાજી મંદિરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ગાંધીનગર જિલ્લાના અંબોડના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાકાલી માતાજી મંદિર (મીની પાવાગઢ)ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા ૬ ગામોના ૭૦૦ જેટલા દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક સારવાર અને દવાઓ આપવામાં આવી હતી.

સાથે તમામ દર્દીને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કેમ્પની સફળતા માટે ટ્રસ્ટના સ્વ.સર્વદમણ વાઘેલાના પત્ની પદ્મિનીની બેન વાઘેલાને આભારી છે આ પ્રસંગે માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ અને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ તેમજ અંબોડ આનંદપુરાના ગ્રામજની ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.