Western Times News

Gujarati News

દેશનું પહેલું લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ ગાંધીનગરના જાખોરા ગામે નિર્માણ થયેલું નંદઘર

મહિલા – બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જુનાગઢ અને ભાવનગરના સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ : આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઇલ એપનું લોન્ચિંગ કરાયું

સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ ગાંધીનગરના જાખોરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આ નંદ ઘરનું લોકાર્પણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી દ્વારા કોમન બેનિફિશિયરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઇલ એપનું લોન્ચિંગ અને જુનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ થયેલા સખીવન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ જાખોરા ગામ ખાતેથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કેગુજરાત સરકાર દ્વારા દેશમાં સૌ પ્રથમવાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી નંદઘરનું નિર્માણ કરવાના કાર્યનો આરંભ કર્યો છે. સૌ પ્રથમ આ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ગાંધીનગર તાલુકાના જાખોરા ગામમાં કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાના ભૂલકાઓના જીવન ઘડતર કરવામાં આંગણવાડી પાયા રૂપ ભૂમિકા અદા કરે છે. ભૂલકાઓને અનુકૂળ વાતાવરણ અને સારી જગ્યા હશે તેમને આવવાનું મન થશે.

     તેમણે ઉમેર્યું હતું કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે આંગણવાડીઓ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના એક પેડ મા કે નામ‘ ઉમદા અભિયાનને વધુ વેગમાન બનાવવા રાજ્યની ૫૩ હજાર આંગણવાડીમાં ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વિભાગ હંમેશા મહિલાઓ અને બાળકોના સર્વાંગી માટે કટિબદ્ધ છે. જાખોરાની આંગણવાડીમાંમાં કિચન ગાર્ડન તો પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં ઉગતા શાકભાજી નો ઉપયોગ બાળકોને પોષણક્ષમ આહાર માટે કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કેરાજ્યની કિશોરીઓને પૂર્ણ શક્તિ યોજના થકી તંદુરસ્ત બનાવવામાં આવી રહી છે. તેની સાથે સગર્ભાઘાત્રી અને પૂરક માતાઓને પોષણયુક્ત આહારની કિટૂસ પણ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભુલકાઓને કુલ છોડ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ગામની સગર્ભા,  પુરક માતાઓધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણક્ષમ આહારની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જાખોરા ગામ ખાતે નિર્માણ કરવામાં આવેલ આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડીમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી કે.કે. નિરાલા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આઇ.સી.ડી.એસ. કમિશનર શ્રી ડો.રણજીતકુમાર સિંહે આભાર વિધિ વ્યક્ત કરી હતી.

 આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલમિત્સુમી હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી અજય શાહ મહિલા બાળ કલ્યાણ ના નિયામક શ્રી કુમુદબેન યાજ્ઞિકજાખોરા ગામના સરપંચ શ્રીમતી શાંતાબેન રબારી સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.